SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૦ ] દર્શન અને ચિંતન જુદે પડીશ. અંતહિંત સિદ્ધાર્થે જવાબ આપે, “ તારી જેવી ઈચ્છા. અમે તે અમારી રીત છોડવાના નથી.” એ સાંભળી ગોશાલકે રાજગૃહનો ભાગ લીધે, પણ રસ્તામાં ચેરના હાથે ખૂબ ભાર પડવાથી પસ્તાઈ પાછો ભગવાનને મળવા નીકળ્યો. ભકિકાપુરીના છઠ્ઠા ચોમાસામાં ભગવાનને તે મળે. આલ ભિકા નગરીના સાતમાં ચોમાસા પછી કંડક ગામમાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનસ્થ રહ્યા. નિર્લજજ ગોશાલકે વાસુદેવની મૂર્તિના મુખ સામે પુચિહ્ન ધારણ કર્યું એ વાત જણાયાથી ગામના લેકેએ તેને ખૂબ પિટિયો. રાગૃહમાં આઠમું અને શ્લેષ્ઠ ભૂમિમાં નવમું ચોમાસું કરી ભગવાન સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કૂર્મગામ તરફ ચાલતા રસ્તામાં તલને એક છોડ જોઈ ગે શાલકે પૂછયું, “હે પ્રભો! આ છોડ ફળશે કે નહિ ?” ભવિતવ્યતાવશ પ્રભુ પિતે જ બોલ્યા, “એ છેડ ફળશે ને બીજા છેડનાં પુષ્પમાં રહેલ સાત જીવ આ પ્રસ્તુત છોડમાં તલરૂપે જન્મ લેશે.” જોકે એ વચન ખોટું પાડવા ગેલેકે એ છોડને ઉખેડી ફેંકી દીધો. પણ ભક્તદેવોએ કરેલ વૃષ્ટિને પરિણામે ભગવાનને કહ્યા મુજબ તે છેડ ફળ્યો. કયારેક કોઈ વૈશિકાયત તાપસને પજવવાથી ગેપાલક તે તાપસની તેજોલેસ્થાપને ભેગા થયે. પણ ભગવાને બળતા ગે શાલકને પોતાની રીતલેસ્યાથી બચાવી લીધે. ગશાલકે તે જેલેસ્યા કેમ પ્રાપ્ત થાય એમ પૂછ્યું. ભગવાને ઉત્તરમાં જણાવ્યું કે “નિયમધારી થઈ છઠને પારણે મૂઠી જેટલા અડદ અને અંજલિ પ્રમાણે પાણી લેવાથી છ માસને અંતે તેજલેસ્યા ઉદ્ભવે છે.” મિગ્રામથી સિદ્ધાર્થપુર જતાં વચ્ચે તલના છેડવાળો પ્રદેશ આવવાથી ગશાલકે કહ્યું : “પ્ર! પિલે છોડ ઊગ્ય નથી.” પ્રભુએ કહ્યું: “ઊગે છે.” તપાસ કરતાં ગે શાલકને ભગવાનના વચનની પ્રતીતિ થઈ. એટલે તેણે સિદ્ધાન્ત બળે કે શરીરનું પરાવર્તન કરી છે પાછા ત્યાં જ પેદા થાય છે. ત્યાર બાદ ભગવાનના કહ્યા મુજબ તેજોલેસ્યા સાધવા ગોશાલક ભગવાનને ૩૫. તજન્ય એક જાતની શક્તિ જેથી શાપની પેઠે કોઈને બાળી શકાય. ૩૬. જે વડે દાહ શમાવી શકાય એવી તજિન્ય એકજાતની શક્તિ. ૩૭. છ ટંક આહારનો ત્યાગ કરે તે છ અર્થાત આગલે દિવસે એક ટંક ખાવું, વચ્ચે સળંગ ચાર ટંક તદ્દન નહિ ખાવું અને છેલ્લે દિવસે એક જ ટંક ખાવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy