________________
૧૧૮૪]
દર્શન અને ચિંતન સાહિત્યની તત્કાલીન સમગ્ર શાખાઓમાં પ્રામાણિં પ્રકાંડ જૈનાચાર્ય હેમચંદ્ર પોતાના અભિધાનચિત્તામણિ કોષમાં વૈશેષિક અને લુક્ય એ બે નામને સમાનાર્થરૂપે મૂકી તેની સ્વોપાટીકામાં ઔલૂક્ય નામનો ખુલાસે કરતાં વૈદિક પુરાણમાંની આખ્યાયિકાને જ કાંઈક અનુસરી કહે છે કે ઉલૂકવેષધારી મહેશ્વરે જે દર્શન રચ્યું તે ઔક્ય અથવા વૈશેષિક. ૩૧
પરંતુ જન ગ્રન્થમાં એ ઐક્ય દર્શન જૈનદર્શનમાંથી નીકળ્યાનું વર્ણન છે. જૈન ગ્રન્થમાં જે સાત નિહ્ ૨ (પ્રથમ જૈન છતાં પાછળથી જેનમત ત્યજી તેને અપલાપ કરી જુદું મન્તવ્ય સ્થાપનારાઓ) નું વર્ણન છે, તેમાં ક્કા નિહ્રવ તરીકે થયેલ વ્યક્તિથી ઔલુક્યદર્શન નીકળ્યાની મને-- રંજક વાત નેધાયેલી છે. એ છઠ્ઠા નિહ્રવ થયા અને તેનાથી ઔલૂક્યદર્શન ચાલ્યાને કાળ જૈન ધ પ્રમાણે વિક્રમની પહેલી સદી આવે છે. આ સાંખ્યદર્શનની ઉત્પત્તિ વિશે જૈન ગ્રંથોમાં સૌથી પ્રાચીન વર્ણન આવશ્યકનિયંતિમાં છે એનો જ સાર આ સ્થળે પરિશિષ્ટ નં. ૧ માં આપવામાં આવે છે. નિર્યુક્તિની એ જ હકીકતને આલંકારિક રૂપ આપી આચાર્ય હેમચંદ્ર પોતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' નામના પ્રસિદ્ધ ગ્રંથમાં સવિસ્તર વર્ણવી છે. દિંગબર ગ્રંથમાં એ જ વર્ણન જૂનામાં જૂનું આદિપુરાણમાં જોવામાં આવ્યું છે. તેમાં તાંબર ગ્રંથ કરતાં થોડો ફેર છે અને તે એ કે શ્વેતાં. અર ગ્રંથોમાં મરીચિના શિષ્ય તરીકે કપિલનો અને તેનાથી સાંખ્ય મત લાયાને ઉલ્લેખ છે; જ્યારે આદિપુરાણમાં મરીચિથી જ ત્રિદંડી માર્ગ નીકળ્યાની વાત છે. તેના શિષ્ય તરીકે કપિલને નિર્દેશ જ નથી. ( હિંદી અનુવાદ પૂ. ૬૩૭).
વિક્રમના દશમા સૈકામાં થયેલા દિગંબરાચાર્ય દેવસેને પિતાના દર્શનસારમાં બૌદ્ધમતની ઉત્પત્તિનું જે વર્ણન આપ્યું છે તે અથવા તેને મળતું વર્ણન બીજા કોઈ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં આવ્યું નથી તેથી એ ગ્રંથમાંના. ટૂંક વર્ણનને સાર પરિશિષ્ટ મં ૨ માં આપવામાં આવે છે.
૩૧ જુઓ અભિધાનચિંતામણિ કાંડ ૩, લે. ૫૨ ની પણ ટીકા ३२ " बहुरय परस अव्वत्त समुच्छेद दुग तिग अवद्धिया चेव । ત્તિ ળિuઠ્ઠા દાણુ તિસ્થમિ ૩ વાઇરસ હ૭૮
–આવશ્યકવૃત્તિ પૃ. ૩૧૨–૩૧૮.
૩૩-આવશ્યકગાથી ૭૮૨, ૫. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org