SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ]. દર્શન અને ચિંતe કપિલનું વિષ્ણુના અવતારરૂપે વિસ્તૃત જીવન આલેખી તેમણે પિતાની માતા છે, આમ કહીને ભગવાન અંતર્ધાન થયા. હવે કર્દમ ઋષિ બિંદુ સરોવરની પાસે રહીને મનુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા, એટલામાં મનુ પિતાની સ્ત્રી અને પુત્રી સાથે રથ ઉપર બેસીને ત્યાં આવી પહોંચ્યા અને કર્દમ. સર્ષિને પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા વિનંતિ કરી. ઘણું ધામધૂમ સાથે કદમ અને દેવદતિને વિવાહ થયે. દેવહૂતિની માતા શતરૂપાએ એ દંપતીને ઘણાં કપડાં, ઘરેણાં અને ગૃહસ્થાશ્રમને યોગ્ય પુષ્કળ રાચરચીલાં દાનમાં આપ્યાં. લગ્ન થઈ ગયા પછી મનુ પિતાની પત્ની સાથે બ્રહ્માવર્ત તરફ પાછા ફર્યા અને કર્દમ ઋષિ મનુએ વસાવેલી બહિંમતી નામની નગરીમાં રહીને ગૃહસ્થાશ્રમ ચલાવવા લાગ્યા. કદમના સંગથી દેવતિને નવ પુત્રીઓ, થઈ. હવે કર્દમને પ્રવજ્યા લઈને વનમાં જવાનો વિચાર થયે પણ તેની સ્ત્રી દેવદતિએ પિતે પુત્ર વિનાની હોવાથી દીનતા દર્શાવી. ત્યારે કદમે કહ્યું કે હે રાજપુત્રિ ! તું ખિન્ન ન થા; તારા ગર્ભમાં તે સ્વયં ભગવાન જે અક્ષર” છે તે પિતે જ અવતરવાના છે. આ રીતે ઘણે સમય વીત્યા બાદ. ભગવાન મધુસુદને પિતે દેવહૂતિની કુક્ષિમાં અવતાર ધારણ કર્યો – કે “સાચાં કુતિશે માતાનું પુનઃ . કામ વાપો પsવિનતિય રાહ ” ! હવે સ્વયંભૂ પિતે મરીચિ વગેરે ઋષિઓની સાથે કર્દમના આશ્રમમાં આવ્યા અને તેમણે કદમ કવિને કહ્યું કે, મુને ! તમારે ત્યાં જે આ બાળકને જન્મ થયો છે તે પિતાની માયાથી અવતરેલા આદ્ય પુત્ર કપિલ છે. હે દેવહૂતિ : તારી કુક્ષિાએ અવતરેલો આ બાળક કૈટભાદન છે. કેમાં કપિલના નામથી તેની ખ્યાતિ થશે અને સાંગાચાર્યોને એ સુસંમત થશે. દેહદતિની નવે મુન્યાઓને માટે સ્વયંભૂએ નવ વરે નક્કી કર્યા કલાને મરીચિ સાથે પરણાવી, અનસૂયાને અત્રિ સાથે શ્રદ્ધાને અંગિરસ સાથે; હવિભુર્વાને પુલત્ય સાથે ગતિને પુલહ સાથે; સતીને કેતુ સાથે; ખ્યાતિને ભૃગુ સાથે; અરુંધતીને વસિષ સાથે અને શાંતિને અથર્વણુ સાથે પરણાવી. કર્દમ ઋષિએ વનવાસ સ્વીકાર્યો તે. પછી મહર્ષિ કપિલે પિતાની માતાના શ્રેય માટે સાંખ્યતત્વને ઉપદેશ કર્યો.” * * --શ્રીભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૩-૨૪-૨૫-૨૬ કપિલેચોપાખ્યાન.. " માવાન વય “अथ ते संप्रवक्ष्यामि सायं पूर्वैर्विनिश्चितम् । तद् विज्ञाय पुमान् सद्यो जहा वैकल्पिकं भ्रमम्" || ઇત્યાદિ પ્રકારે ભાગવતના અગિયારમા સ્કંધના એવી શમા અધ્યાયમાં - સ વિધિનું નિરૂપણ કરેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy