SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન | છ વષ્ણુનું જન્મસિદ્ધ શ્રેષ્ઠવ એ પણ મતભેદની મુખ્ય બાબતો થઈ પડી છે. વૈદિક દર્શન સાથે જૈન દર્શનની પેઠે ખૌદ્ધ દર્શનને પણ આ ત્રણ ખાખત પરત્વે મતભેદ છે જ. વેદના પ્રામાણ્ય વિશે ૌદ્ધો અને જૈતાને સમાન મતભેદ હાવા છતાં તેમાં ઘેાડી તફાવત પણ છે, અને તે એકે જ્યારે જૈન ગ્રંથા હિંસાપ્રધાન વર્તમાન વેદોને કલ્પિત માની તેની ઉત્પત્તિ પાછળથી માને છે અને અસલી વેદો લુપ્ત થયાનું કહે છે, ત્યારે ખોદ્દો એ વિષ્યમાં કશુ કહેતા હાય એમ અદ્યાપિ જણાયું નથી. યજ્ઞામાં ચાલતી પહિંસાના વિરાધને વખત આવતાં જ બ્રાહ્મણ વના જન્મસિદ્ધ શ્રેષ્ઠત્વ અને વેદના પ્રામાણ્યને પ્રશ્ન ઉપસ્થિત થયા. બ્રાહ્મણ એ માત્ર જન્મથી ઉચ્ચ નથી, ઉચ્ચતાના આધાર ગુણ-કર્મની યોગ્યતા છે. ચંડાળકુલમાં જન્મેલ પણ શ્રેષ્ઠ ગુણ-ધ વડે બ્રાહ્મણ જેટલા ઉચ્ચ હોઈ શકે—એ જાતનું વૈદિક બ્રાહ્મણા પ્રત્યે થયેલું જૈતાનું આક્રમણ આપણે ઉત્તરાધ્યયન નામક જૈન આગમના હરિકેશખલ નામક બારમા અધ્યયનમાં જોઈ એ છીએ. એ જ આગમના યજ્ઞીય નામક પચીસમા અધ્યયનમાં પણ તે જ જાતનું આક્રમણ છે. ધર્મીભાગમાં દરેક વર્ષોંને સમાન અધિકાર સ્થાપવા જતાં જૈને લોકામાં ઢ થયેલ બ્રાહ્મણવની જન્મસિદ્ધ ઉચ્ચતાને વિરાધ કરવા પડયો. ઉચ્ચતાભિમાની બ્રાહ્મણેાએ જનાને યજ્ઞનિંદક, બ્રાહ્મણનિદક કહી લેાકેામાં વગાવવા માંડ્યા. આ સધણુ બહુ વધ્યું. ક્ષત્રિયકુલ એ બ્રાહ્મણકુલ કરતાં ચડિયાતું છે એવા આશય જૈતેના પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં પ્રસંગે જે વર્ષોં વાયેા છે તેને આ સધણનું પરિણામ ઘણા વિદ્વાનો માને છે. ગમે તેમ હા, પણ બ્રાહ્મણ વર્ણની પ્રાચીનતા વિરુદ્ધ ચર્ચો અહુ વધી. "" બ્રાહ્મણા વેદને આધારે એમ મનાવવાના પ્રયત્ન કરતા કે બ્રહ્માના મુખથી સર્વ પ્રથમ બ્રાહ્મણા ઉત્પન્ન થયા ને ત્યાર બાદ અન્ય અંગોથી ખીજા વર્ણી; માટે તર વર્ણો કરતાં બ્રાહ્મણા જેમ પ્રાચીન તેમ પૂછ્ય પણ છે. ત્યારે એની સામે ને એમ કહેવા લાગ્યા કે ક્ષત્રિયાદિ ત્રણ વર્ણની સષ્ટિ પ્રથમ થઈ અને બ્રાહ્મણવણ તો પાછળથી એ ત્રણ વર્ષોમાંથી જ ઉત્પન્ન કરવામાં આવ્યો. જેને આ પક્ષ શ્વેતાંબર અને શિખર બન્નેના ગ્રંથામાં યુક્તિ અને વિવિધ કલ્પનાના મિશ્રણપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. આ વર્ણન શ્વેતાંબરીય આગમ અને રિત અને સાહિત્યમાં છે, અને દિગબરીય માત્ર ચરિતસાહિત્યમાં છે. આગમ સાહિત્યમાં આ વન માટે નિયુક્તિ, ભાષ્ય આદિ ચારે નૃતનું આવશ્યકસૂત્ર ઉપરનું વ્યાપ્યાસાહિત્ય મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy