SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૪ ] દર્શન અને ચિંતન સામે આવી ઊભા અને નમ્યા. એ પ્રણત ભૂતગણને હરિએ (વિષ્ણુએ) કહ્યું કેદેનાં ત્રણ પુરને તેડી, ડી, બાળી પછી તમે આવ્યા તેમ પાછા જઈ શકે. વિષ્ણુ શિવને પ્રણામ કરી ગણે સામે જોઈ વિચારમાં પડ્યા કે શું કરીશું ? તે દૈત્યેનું બળ તેડી દેવકાર્ય શી રીતે સાધીશું? કારણ કે ધાર્મિક નાશ અભિચાર કર્મથી થઈ શકે નહિ. એ ત્રિપુરવાસી બધા દે તો ધર્મિષ્ઠ જ છે, અને તપાધર્મને બળથી જ અવધ્ય બનેલા છે. ગમે તેટલું મહત્વ પાપ કર્યું હોય છતાં જે શિવપૂજન કરવામાં આવે તે તે પાપ જતું રહે છે. શિવપૂજાથી મોટી ભોગસંપત્તિ મળે છે. એ બધા દે લિંગપૂજાપરાયણ હોવાથી વૈભવશાળી થયેલા છે. તે માટે હું મારી માયાથી ધર્મમાં વિદન કરીને તેના વિનાશ માટે ત્રિપુરને ધ્વંસ કરીશ. આ પ્રમાણે વિચારી ભગવાન વિષ્ણુએ દૈત્યોના ધર્મમાં વિદન નાખવા માટે નિશ્ચય કર્યો. જ્યાં સુધી વેદધર્મ, લિંગપૂજા, શ્રુતિવિહિત સ્નાન, દાન આદિ ધર્મ કૃ રહેશે, ત્યાં સુધી તેઓને નાશ થવાને જ નથી—એવા નિશ્ચયથી વિષ્ણુએ દેને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. અને પોતે સર્વ પાપ વિનાશકારક એવા દેવકાર્ય માટેને વિધિ આરંભ્યો. એ વિધિ શી તે હવે સાંભળો. સૂત—મહાતેજસ્વી માયાવી વિષ્ણુએ તે દેના ધર્મમાં વિઘ્ન નાખવા માટે માયામય એક પુરુષ પિતાના દેહમાંથી સર્યોજે માથે મુંડો, મલિન વસ્ત્રવાળે, કુંડીપાત્રયુક્ત થઈ હાથમાં પંજણીને ધારણ કરતે અને પગલે પગલે તે પંજણીને ફેરવતો તેમ જ વસ્ત્રયુક્ત હાથને નિરંતર મેઢા ઉપર રાખતા અને ધર્મ (ધર્મલાભ) બોલતા વિષ્ણુને નમસ્કાર કરી ઊભો રહ્યો. ઉક્ત રૂપવાળા તે માયામય પુરુષે હાથ જોડી વિષ્ણુને કહ્યું કે હે અરિહન! હે પૂજ્ય ! ફરમાવે, મારું શું કર્તવ્ય છે? એ સાંભળી વિષ્ણુએ કહ્યું કે હે પુરુષ! જે કાર્ય માટે મેં તને સર્યો છે, તે કહું છું; બરાબર સમજી લે. તું મારા શરીરથી ઉત્પન્ન થયેલો હેવાને લીધે તારે મારું જ કામ કરવું તે ગ્ય છે. તું મારે પિતાને છે, તેથી હંમેશાં પૂજ્ય બનીશ. હે માયામય પુ આ માયાવી શાસ્ત્રો તું લે. એ શાસ્ત્ર ૧૬૦૦૦ પ્રમાણ છે. શ્રૌતસ્માર્તવિરૂદ્ધ અને વર્ણાશ્રમવ્યવસ્થા વિનાનું છે, આજ લેકમાં (પરલેકમાં નહિ) સ્વર્ગ અને નરક હેવાને વિશ્વાસ કરાવે તેવું છે, તેમ જ વેદભ્રષ્ટ અને કર્મવાદયુકત છે. આ શાસ્ત્ર તારાથી વિસ્તાર પામશે. અને હું તને સામર્થ્ય આપું છું તેથી તું નવું પણ રચી શકીશ. વણ્ય અને અવશ્ય કરનારી અનેક માયાઓ, રેધન (આવિર્ભાવ-તિભાવ), ઈનિષ્ટપ્રદર્શન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy