SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ ] દર્શન અને ચિંતન પ્રમાણે : પહેલાં દેવ અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં વૈદિકક રત અસુરાએ દેવાને હરાવ્યા. હારેલા દેવાએ વિષ્ણુ પાસે જઈ તેમની સ્તુતિ કરી. વિષ્ણુએ પ્રસન્ન થઈ પાતાના શરીરમાંથી એક માયામાહ પુરુષ ઉત્પન્ન કરી દેવેને સહાયતાથે સાંપ્યા. માયામેાહ દેવા સાથે અસુરોના તપસ્યાસ્થાન નદાતટ ઉપર આવ્યા. ત્યાં તેણે માથું મુંડાવી, નસરૂપ ધારણ કરી, હાથમાં મયૂરપિચ્છ રાખી તપસ્યા કરતા અસુરાને આ પ્રમાણે ઉપદેશ કરવા માંડ્યો ઃ તેણે અસુરાને સોધી કહ્યું : ‘જો તમે પારલૌકિક લની ઇચ્છાથી તપ કરતા હા તે હું કહું તે જ માગ યાગ્ય છે. અને તમે જ તેના અધિકારી છે.' એમ કહી. તેને વેદમાથી ભ્રષ્ટ કર્યાં, અને સશયાત્મક સ્યાદ્વાદના ઉપદેશ આપ્યા. માયામાહે ઉપદેશેલ નવા ધમને પામવા અહ' (યોગ્ય) હોવાથી એ સ્વધ ભ્રષ્ટ અસુરા આહૂત કહેવાયા. એકથી ખીજા અને ખીજાથી ત્રીજા એમ અનુક્રમે અનેક અસુરો સ્વધર્મ તજી નવા આહત મતમાં આવ્યા. ત્યાર બાદ માયામાહે લાલ કપડાં પહેરી, આંખમાં આંજન આંજી ખીજા અસુરેશને મધુર ઉપદેશ આપ્યો. તેણે કહ્યું :· મહાનુભાવે ! તમે યાજ્ઞિક પ`િસા છેડા. તેથી સ્વર્ગ મળવાનું નથી, આખુ જગત વિજ્ઞાનમય છે અને દુ:ખના પ્રવાહમાં તણાય છે.' આ ઉપદેશથી અનુક્રમે અનેક ત્યા સ્વધર્મ ત્યજી નવા મા ઉપર આવ્યા. ત્યાર બાદ માયામાહે નવા નવા સ્વાંગ પહેરી અનેક જાતના ઉપદેશાથી બીજા પણ દાનવાને વેવિમુખ કર્યાં. વેદભ્રષ્ટ થયેલ એ અસુરાએ વેદ, દેવ, યજ્ઞ અને બ્રાહ્મણાની નિંદા કરવી શરૂ કરી, તે કહેવા લાગ્યા કે • યજ્ઞથી સ્વ મળે નહિ, જેમાં હિંસા થાય તે ક ધર્મ ન હેાઈ શકે. અગ્નિમાં ઘી હામવાથી સ્વર્ગ મળે એ કથન ખાળક જેવુ છે. અનેક યજ્ઞા કરી ઇન્દ્રપદ મેળવ્યા ખાદ જો સમિધ, કાઇ વગેરે ખાવાનાં હોય તેા પશુ થઈ લીલાછમ ધાસચારો ચરવા એ જ વધારે શ્રેષ્ઠ છે. જો યજ્ઞમાં હેમાયેલ પશુઓ સ્વર્ગોમાં જતાં હોય તે સ્વર્ગ પમાડવા માબાપને શા માટે ન હેામવાં ? શ્રાદ્ધના વિષયમાં જો એકને (બ્રાહ્મણને) જમાડવાથી ખીજા( પિતા )ને તૃપ્તિ થતી હાય તા પરદેશમાં જતી વખતે ભાતુ સાથે લેવાની શી જરૂર ? એક જષ્ણુ ધેર બેઠા જમે અને તે પ્રવાસી (મુસાક્ીએ જનાર) ને પહેાંચી જાય.’ આવી આવી નિંદાથી જ્યારે બધા અસુરે કુપથગામી થયા, ત્યારે તેને સ્વધ ભ્રષ્ટ જોઈ દેવાએ તૈયારીપૂર્વક કરી યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં પૂર્વના વેધ રૂપ કવચ વિનાના તે અસુરા નાશ પામ્યા. પરાશર ઋષિ મૈત્રેયને કહે છે કે · ત્યારથી માયામાહના એ ઉપદેશને માનનાર નગ્ન કહેવાય છે. અને એવા પાખંડીના સ્પર્શ થાય તે કપડાં સહિત સ્નાન કરવું. વેદ, યજ્ઞ, દેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy