SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અલન [૧૦૯૯ જ્ઞાન અને સમચિત્તતાની હિમાયત છે જ. અને દેવ–સમન્વયમાં પણ જો એ તત્વ હોય તે લેખકે સ્પષ્ટ કહ્યાં ન છતાં તે ગ્રાહ્ય ગણાવું જોઈએ. લેખકને ધર્મવિકાસ થશે તે અમુક રીતે ખરું. પણ બધાનો વિકાસ કાંઈ એક જ રીતે નથી થતું. રામકૃષ્ણ ધાર્મિક હતા એમાં શંકા નથી. તેમની ઉપાસનામાં અનેકદેવનિષ્ઠા હતી અને છતાં વિકાસ થયો. ૪. ઈશ્વરનિષ્ઠાનું બળ સત્યને વળગી રહીને જ જીવનક્રમ ચલાવવાની અને પિતાનું ધ્યેય સિદ્ધ કરવાની જે શક્તિ તે જ સત્યાગ્રહ. આમાં સાધ્ય અને સાધન વચ્ચે સંબંધ સત્યને જ હોય છે. આ જ ઈશ્વરનિષ્ઠાનું બળ અગર અધ્યાત્મબળ છે. ૫. પક્ષપૂજા માત્ર પક્ષને જ મહિમા ગા-સ્વીકારો એ જીવનને પાંગળું અને આંધળું બનાવે છે. ભૂતકાળના પ્રથ, આદર્શે કે પુરુષ પ્રત્યેની શ્રદ્ધાએ વર્તમાન કાળના યંગ્ય પુરષ પાસેથી તત્વદષ્ટિ શીખવતાં અને વર્તમાન કર્તવ્યનું ભાન કરતાં આડે આવવું ન જોઈએ. એ પ્રાચીન શ્રદ્ધા વર્તમાન પ્રકટ પુરુષ પ્રત્યેન રૂપે જન્મવી જોઈએ. તે જ તેનું સંસ્કરણ થયું ગણાય, નહિ તે મરણ. ૬. બેટી ભાવિકતા ચાલું જીવન વ્યવહારમાંથી કોઈ નાની જેવી બાબત પકડી લઈ તેનું જ્યારે લેખક વિશ્લેષણ કરે છે અને અંધશ્રદ્ધા તેમ જ માણસની નબળાઈ ઉપર પ્રહાર કરે છે ત્યારે તે સાચું હોવા ઉપરાંત બહુ મનોરમ પણ બને છે. એમની એ હથેટી છે. બે દૃષ્ટિવાળા લેખમાં પણ એક પ્રવાસ વખતે બનેલ ઘટનાના તાત્ત્વિક વિશ્લેષણનું મનોરમ ચિત્ર છે. ૭. ઈશ્વર વિષે કેટલાક પ્રશ્નો આ લેખમાં ઈશ્વર અને કર્મનું જીવનમાં શું સ્થાન છે એનું વર્ણન છે. અને ઈશ્વર વિષે નાસ્તિકતા પેદા કરનાર નવલેખકેની ચિમકી લીધી છે. સંસાર અને ધર્મ ધર્મ ૧. ધર્મનું નવનિર્માણ, ૨. નવી દૃષ્ટિ નવી દ્રષ્ટિમાં એમણે જુદે જુદે સમયે જે કાંઈ વિચાર્યું અને છર્યું છે તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy