________________
સગી
૧૦૬૩ ભંગીની દષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણું સર્વ દષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્વની દષ્ટિએ તે નિત્ય છે, કારણ કે
ક્યારે પણ તે તત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ કયારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તસ્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિયત્વ તવદષ્ટિએ મ હતાં માત્ર અવસ્થાની દષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે ધૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવો પડે છે અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્વરૂપે (સામાન્યરૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષરૂપે) અનિત્ય પણ છે. નિયત્વ અને અનિત્યત્વ બને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરોધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને છે. એ જ પ્રમાણે આત્મા નિત્ય અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય છતાં સમગ્રરૂપે કોઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ, માટે તે અસમગ્રરૂપે શબ્દનો વિષય થાય છે; છતાં સમગ્રરૂપે એવા કેઈ શબ્દનો વિષય નથી થઈ શકતે, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્ય ધર્મને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એવા ત્રણ પક્ષે–ભંગે વાજબી ઠરે છે.
એ જ પ્રમાણે એકત્વ, સત્વ, ભિન્નત્વ, અભિલાષ્ઠત્વ આદિ સર્વસાધારણ ધર્મો લઈ કઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગ બને, અને તે ઉપરથી સાત બને. ચેતનત્વ, ઘટવ આદિ અસાધારણ ધર્મોને લઈને પણ સપ્તભંગી ઘટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સપ્તભંગ ઘટાવી શકાય.
પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પાર્થોમાં નિયત્વ-અનિયત્વ, સવ-અસત્વ, એકત્વ-બહુવ, વ્યાપકત્વ–અવ્યાપક આદિની બાબતમાં પરસ્પર તદન વિધી વાદે ચાલતા. એ વાદનો સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગક૯૫ના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિકવાડનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org