SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાસ્વત કે પરત? [૧૩૪ કરવા ચોથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવું ગ્ય છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી. જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનું પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે. આ વિષયમાં પરતવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરતે ગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરતે ગ્રાહ્ય માનવું જોઈએ. કોઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હોય તે તેનું અયથાર્થવ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તો વિસંવાદ થવાથી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાચૈત્વ માલુમ પડે છે. તેવી રીતે યથાર્થત્વના સંબંધમાં પણ માનવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાર્થવ સંવાદ અગર પ્રવૃત્તિસાફયથી જણવાનું. આમ માનતાં અનવસ્થા થવાને ભય રાખવાનું કારણ નથી, કારણ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી બેત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લંબાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્ય ન વિષયમાં જ બની રહે એમ બનતું નથી. બીજી વાત એ છે કે જે પ્રામાણ્યને જ્ઞાનના નિર્ણય સાથે જ નિર્ણત માની લેવામાં આવે છે જે વિષયને વારંવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સદેહ થાય છે તે સંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિર્ણત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાયની પેઠે પરતેય માનવું ગ્ય છે. સ્વતઃવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરફ છે. તેથી તે કહે છે કે પરતઃ–પક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જે પરતકવાદીને કાઈ પણ જ્ઞાન સ્વનિર્મીત માનવું પડે તે પછી તે જ રીતે પ્રથમનાં બધાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતિય શા માટે ન માનવું ? સ્વતઃવાદીનો પક્ષ અભ્યાસદશાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાને બહુ પરિચય હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રમાણ્ય માટે કોઈને કદી સંદેહ થતું નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિર્ણત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તે એક જ પ્રકારનું હોય છે તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળોનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ માની લે ઘટે છે. આથી ઊલટું, પરંતઃવાદીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy