________________
૧૦૩૦]
દર્શન અને ચિંતન
છે. શિખરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓરી ( સર્વોથસિદ્ધિ, રાજવાતિ ક, શ્લોકવાતિ ક), ગામ્ભટસાર આદિગ્રંથામાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયને રાસ. ,૪ યુક્તિપ્રમાષ,૫ લાકપ્રકાશ આદિ ગ્રંથામાં ઉક્ત બન્ને પક્ષો પેાષાચેલા છે.
બીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતા છે. વૈદિકદશનસ્વીકૃત કાળતત્ત્વ સબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતું એ બન્ને દતાનું સામ્ય છતાં સ્વરૂપની ખાખતમાં જૈન દર્શન વૈદિક દર્શનાથી બિલકુલ જુદુ પડે છે. સ્વરૂપ સંબધી અનેક માન્યતા જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરાક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં કેવાં ચિત્રણા આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈર્દિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાળને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી મન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લાકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર
૧. આ ગ્રંથને શ્વેતાંબર, દિગંબર અને સોંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બને સપ્રદાયમાં કેટલાંક સૂત્રેા ઓછાવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા નહાવા છતાં પણ અને સપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યાએ પોતપેાતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રને જુદો જુદો અ કર્યા છે. તેના ઉદાહરણ રૂપે કાળ સબંધી સૂત્રેા ઉપરની એક સપ્રદાયના આચાર્યોએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે.
૨. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા.
૩. જી. વકાંડ,
૪, આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા—અઢારમા સૈકામાં થયેલ ઉપાચાય ચશે!વિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દ્દિગંબર અને સ ંપ્રદાયાની કાળ સંબંધી સમગ્ર માન્યતા વિચારપૂર્વક વણુ વાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથપર્યાપ્ત છે, જુઓ “ પ્રકરણરત્નાકર' ભા, ૧, ગા, ૧૦.”
*
૫. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, દિગ ંબર અને સપ્રદાયની સમગ્ર કાળ સખધી માન્યતાનુ' એક પ્રકરણ છે,તેના પ્રણેતા ૭. મેવિજયજી છે, તે એક સારા વિદ્વાન અને ચોવિજયજીના સમકાલીન હતા.
પ
૬. આ માન્યતા * યુક્તિપ્રખાધ માં હોવાનું. સ્મરણ છે. આ વિચાર લખતી શ્વખતે તે ગ્રન્ય પાસે ન હેાવાથી ચાક્કસ પુરાવા આપી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org