SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસનું મુખ્ય સાધન [ ૫૫ આપણે બીજા દેશેની વાત કરવા કરતાં આપણું દેશને જ સામે રાખીને વિચાર કરીએ તે વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી થશે. આપણા દેશમાં આ વાત તે આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જેઓ ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સંપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મંદ હોય છે. મેટા મોટા ધનવાનનાં સંતા ને જુઓ, રાજપુત્રોને લે કે જમીનદારેને જુઓ. તમને જોવા મળશે કે બહારને ભપકો કે દેખાવ માટેની સંસ્કૃતિ હોવા છતાં તેઓમાં મનને, વિચારશક્તિને તથા પ્રતિભાને વિકાસ ઓછામાં ઓછો હશે. બહારનાં સાધનોની એમને કમી નથી, અભ્યાસનાં સાધનો પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધને એમને યથેષ્ટ હેય છે, છતાં પણ આ વર્ગને માનસિક વિકાસ એક રીતે બંધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એ વર્ગ લઈએ કે જેને વારસામાં કોઈ સ્કૂલ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની બીજી કોઈ વિશિષ્ટ સગવડો પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનોવિકાસ વાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તફાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હેવું તે એમ જોઈએ કે જેઓને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેને જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટું આવે છે. માટે આપણે શોધવું જોઈએ કે વિકાસનું મૂળ કારણ શું છે? મુખ્ય બાબત કઈ છે કે જે ન હોય તે બીજું બધું હોવા છતાં ન હોવા બરાબર બની જાય છે ? ઉપરના પ્રશ્નનો જવાબ તદ્દન સહેલું છે. પ્રત્યેક વિચારક વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિઓના જીવનમાંથી તે મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ બીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે બીજાં બધાં વિકાસનાં સાધનોની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે? મનનો વિકાસ એના સત્વઅંશની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે; જ્યારે રાજસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રબળ થાય છે ત્યારે મનની વિચારશક્તિએગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ-કંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અંશ તથા તામસ અંશ બળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કેણ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy