SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ “ સ’સ્મરણો ’ની સમાયાચના [૧ દાદાસાહેબના જીવનનાં અનેક પાસાં છેઃ અધ્યયન, ગાર્હસ્થ્ય-જીવનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વિદ્યાસભા જેવી માતબર સંસ્થાઓમાં પ્રમુખપદ સુધીતેા જવાબદારીવાળા કાર્યભાર, મોટા સંકટપ્રસંગે રાહતકાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેા, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝ ંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રામાં એકસરખા રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નાને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરુવને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અંગે. તેમ જ લોકહિતનાં ખીજા અનેક કામેા અંગે ફંડફાળા એકઠા કરવા, ૉંગ્રેસ અને ખીજી અનેક સંસ્થાનાં નાણાંના પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવા, કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવાં અનેક દેશવ્યાપી ટ્રસ્ટાના ટ્રસ્ટી થવું, તેને વહીવટ કરવા અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામેાને જાતદેખરેખથી વેગ આપવા, સ્પીકર તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણે પહેાંચી વળવુ, વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલા બધા અનુભવ સંભાર ભરેલા છે તે બધું આ મર્યાદિત સ્મરણામાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક માસમેાનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રોગસ્વાદ તથા ગબનાં ફૂલાનું સત્ત્વ એકરસ થયેલું હેાય છે તેમ પ્રસ્તુત સંસ્મરણા વિશે કહી શકાય. ઘટના કોઇ એક જ હાય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતિચિત્ર ખેંચે છે ત્યારે અખંડ જીવનમાં જીવેલાં અને જિવાતાં અનેક પાસાં તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં. સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણુ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કલા——એ પ્રસ્તુત સંસ્મરણાના પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાના પુરાવા છઠ્ઠા અને આવનમા સંસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટના લાંભે કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે લક્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકા કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારેદાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પેાતાને એક નવ દૃષ્ટિ લાવ્યાના સતાષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પેાતાને વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં. પાતાને તે સત્યપૂત Jain Education International "" For Private & Personal Use Only ' ''; www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy