________________
૯૨ ]
દર્શન અને ચિંતન
ગુજરાતી ખનના હાગા. ગિદ્યવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પશુ રહેતા, અને ગાંધીજીનું કથન કાઈ ને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણી થઈ હાય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલા બધા આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું મેઢું ગુજરાતી ભાષા તરફ રહેવુ જોઈ એ, એના ગાંધીજીને આ પ્રકારનો આગ્રહ હતા એની પાછળ દૃષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થ્રેશરમાં ચે.
<
.
શ્રી. કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ જ પ્રકારની છે. એમને તે સ્વભાષાનેાયે આગ્રહ નથી. એ તે માને છે કે માણસની કાઈ કુદરતી સ્વભાષા ( માતૃભાષા કે પિતૃભાષા ) છે જ નહિ.' ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં · સમૂળી ક્રાન્તિ’ માં ‘ કેળવણી ’ નામના છેલ્લા વિભાગમાં · સિદ્ધાન્તોને નિશ્ચય એ પ્રકરણમાં એમણે એ વાતે પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “ સ્વ ભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં ( પરદેશમાં જઈને શીખવાના પ્રશ્ન ન હોય तो ) बाळपणथी छेवट सुधी एक ज भाषा द्वारा शिक्षण मळे ए वधु महत्त्वनु છે. શિક્ષળનું વન વારેવારે વાયડુ દૃષ્ટ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યામિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ ખરાખર નથી....કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ષ્ટ છે.”
ખીજી વાત એમણે એ કહી છે, “ કેળવણીનું સારામાં સારુ અને સફળ વાહન કેળવણી આપનારની નહિ, પણ 'કેળવણી લેનારની સ્વભાષા છે.”
*
આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણ તે નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈ એ. ખેલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું.’ એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, · કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.'
આબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પોતાનાં મતવ્યો ઃ હરિજન ’માં થેાડાક વખત પર જ પ્રગટ કર્યાં હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, “ પોતપોતાની ક્રજ ખરાખર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારા સુપ્રીમ કોર્ટ, પ્રાન્તિક સરકારો અને હાઈકાના જ નહિ, પણ છેક નીચલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org