________________
૯૫૮]
દર્શન અને ચિંતન વેલી, વિશાળ દષ્ટિ, અને નાનામેટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદામ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આને ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારે પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યજ્ઞમાં પૂરેપૂરે રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ ચેપ ઉત્તરોત્તર વધતો જવાને છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ, શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળે આવે છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવુંતેવું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપક અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સંસાયટીના પ્રયાસોને વિચાર કરીએ તે આશા પડે છે કે એને લોકકલ્યાણ કરવાને મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનું જ છે. અને કયારેક, કદાચ બહુ જ થોડા વખતમાં, એવો પણ સમય આવશે કે ડૉ. ધ્રુવને કેળવણીની બબાતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમને સ્વર્ગવાસી આત્મા નિહાળશે.
* “ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસઃ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન.” (૧૯૫૧)ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org