SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિત અને તેનું મહત્વ [ ૯૪૩ આંખવાળું (વાદીનું) મુખ ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિ સમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? ૨ જ્યાં સુધી રંગ (વાદસ્થલી)માં નથી ઊતરતે ત્યાં સુધી વાદી બગલા જે મુગ્ધ દેખાય છે, પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩ ક્ષુલ્લકવાદી, કૂકડા અને તેતરની પેઠે પૈસાદારનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને બાળકે મારફત ઉપહાસ અને લધુતા પ્રાપ્ત કરાવે છે. ૪ બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ, દવડે અંગોને કરડે છે. ૫ કલ્યાણો બીજી જ તરફ છે અને વાદિવૃષભ બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને ક્યાંયે કલ્યાણને ઉપાય કહ્યો નથી. ૭ વાફલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે એવા તત્વની જે સ્વચ્છ મન વડે અકલહથી સુંદર બને તેમ વિચારણા કરવામાં આવે તે તેમાં કશે દેષ ન થાય. ૮ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જે શાંત હોય તે તે એકલે છતાં પણ પિતાનો પક્ષ સાધે છે, પરંતુ વાક્યની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈને કલહપ્રધાન એવી કરેડ કેટિઓથી પણ પિતાને પક્ષ સાધી શક્તા નથી. ૯ : વાદી દુર્થીનમાં પડી પ્રતિવાદી અને પિતાના પક્ષવિષયક, નવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણ વિષયક સામર્થની જ ચિંતા કરતો રહે છે. ૧૦ અમુક વાદી હેતુન (તર્ક) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતે. વળી અમુક બીજે વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર બને જાણ છતાં ભાવ પ્રકટ કરવામાં પટું નથી, તે ચેથે વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧ અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં ભારે આ જાતિઓ (અસત્ય ઉત્તરે) જવાની છે. આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy