SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિત અને તેનું મહત્વ [ કર૩ નાસ્તિકપણાના આરેપ કરતાં પણ વધારે ભારે મનાતે આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયોનો વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાન્તની પ્રરૂપણ છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકે દિવાકરશ્રીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહો છો તે સૂત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તે તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરથી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થકરની આશાતનાથી ડરનારા અને મૂત્રાક્ષરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કેવળજ્ઞાન-કેવળદર્શનને ભેદ માને છે ઈત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થંકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરવો એ ક્યાંને ન્યાય ? ઊલટું, વિચાર અને તર્કને અગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરથી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદને પિતાને પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠોનું સમાધાન કરતાં કહે છે કે સૂત્રોમાં અભેદપક્ષ વિરુદ્ધ જે જે કથનો છે તે અન્ય દર્શનનાં મંતવ્યનું માત્ર દષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાન્ત નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે. ખરે જાણકાર હોય તે તે પૂર્વોપર અર્થની ઊંડી વિચારણું કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમ ને એમ નહિ.. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાકરશ્રી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત ત. ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તે સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિથ્યાદષ્ટિ કહે એ ક્યાંને ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પિતાને આગમા ભાનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી યદષ્ટિવાળાં સૂને માત્ર ભણી જેઓ પિતાને સૂત્રધર કહેવરાવવામાં સંતોષ માને છે અને એ નયવાદની યોગ્ય મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ નયવાદનું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મત્કર્ષથી પિતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકે પિતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy