SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૦] દર્શન અને ચિંતન ૧૦૮ અને ત્રીજા ભાગમાં ૭૫, કુલ ૨૭૫ પ્રાકૃત આયબદ્ધ પડ્યો છે. પ્રવચનસારના ત્રણે ભાગે કોડ નહિ, પણ જૂની ઢબના શ્રુતસ્કંધ એવા નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતભાષા, આણંદ અને ત્રણ ભાગમાં વહેંચણું એટલું બાહ્ય સામ્ય જોયા પછી હવે એ બને ગ્રંથેના અંતર સ્વરૂપ તરફ વળીએ. પ્રતિપાદ વિયે - પ્રવચનસારમાં ચારિત્રનું પ્રતિપાદન ખાસ એક અધિકારમાં કરવામાં આવ્યું છે, જ્યારે સન્મતિતર્કમાં એ વિષય લીધે જ નથી. સન્મતિતર્કમાં આખું એક કાંડ નયની ચર્ચાથી ભર્યું છે, જ્યારે પ્રવચનસારમાં એ વિષય સ્પર્શી જ નથી. એમાં માત્ર સપ્તભંગીને અતિકમાં ઉલ્લેખ છે, ત્યારે સન્મતિમાં એની પૂર્ણ અને વિશદ ચર્ચા છે, પ્રવચનસારમાં આત્મિક પરિણામના વિકાસને સૂચવતી જે શુભ, અશુભ અને શુદ્ધ પરિણામની હદયંગમ ચર્ચા છે તે સન્મતિમાં નથી. બન્ને ગ્રંથમાં જ્ઞાન અને સેયની ચર્ચા તે છે જ, પણ એમાં ઘણું અંતર છે. પ્રવચનસાર મુખ્યપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનો તફાવત જૈન દષ્ટિએ સમજાવે છે અને જ્ઞાનને લગતી પ્રાચીન જૈન પરંપરાને બીજાં દર્શન થી જુદી પાડી કાંઈક તર્કપદ્ધતિએ સમજાવવા પ્રયત્ન કરે છે, ત્યારે સન્મતિમાં એ વિષય જુદી જ રીતે ચર્ચા છે. એ પિતાના સમય સુધીમાં ચાલ્યા આવતા જ્ઞાનને લગતા બધા વાદને એકે એકે લઈ તેની ઊંડી માર્મિક અને અષ્ટપૂર્વ સમીક્ષા તેમ જ પરીક્ષા કરે છે અને એમાં દિવાકરશી પિતાને તદ્દન સ્વતંત્ર તેમ જ નવો વાદ મૂકે છે તેમ જ સ્થાપે છે. તે વાદ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન વચ્ચે ભેદ ન માનવાનો. આ વાદ સ્થાપતાં તેઓશ્રીએ પ્રાચીન વાદોને બહુ ઝીણવટથી છણ્યા છે અને તેમાં તર્કદષ્ટિએ દેખાતા દેને દર્શાવ્યા છે. એ જ રીતે પ્રવચનસારમાં છે તે કરતાં સન્મતિની રેયચર્ચા જુદી જાતની છે. પ્રવચનસારમાં જન પરંપરા પ્રમાણે મનાતાં છ દ્રવ્યોનું આગમિકશૈલીએ શ્રદ્ધાગમ્ય વર્ણન છે, જ્યારે સન્મતિમાં એમ નથી. એ તે વિસ્તારથી એટલું જ વર્ણવે છે કે જનદષ્ટિએ યતત્ત્વનું સ્વરૂપ કેવું માનવું જોઈએ. એ સ્થાપતાં એણે મૃદુતાથી વિરોધી દૃષ્ટિઓની ખૂબ ઝાટકણી કાઢી છે. પ્રતિપાદનશૈલી આ પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક શેલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy