SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુના પરિચય [ ૮૮૫ પત્રમાં આટલા બધા પાઠભેદ ભાગ્યે જ સંભવે. ીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિમેટન ભાષાન્તર સાથે પ્રસ્તુત પ્રતિને પાઠ સરખાવ્યા છે તે ટિખટન ભાષાન્તર સાથે આ વધારાના પત્રમાંનેા પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળતા આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિમેટન ભાષાન્તર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કાઈ એક જુદી જ નકલ હાવી જોઈ એ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી . એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર કાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કાઈ ખીજી પ્રતિ પણ સાથે હાવી જોઈએ, અને આ રીતે હેતુબિન્દુટીકાની અનેક પ્રતિએ લખાઇ જ્યાંત્યાં ફેલાવા પામતી અને સંગ્રહાતી હાવી જોઈ એ. અમારું આ અનુમાન ખીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રન્થેામાં અને પાટણ જેવા ગુજરાતના અનેક શહેરામાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રન્થામાં હેતુબિન્દુટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિમેટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાન્તરા થયાં છે.૧ પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫ ને અક સ્પષ્ટ છે. ( જુએ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્ગત શ્રી. સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરી છે. તદ્નુસાર તે અંક વિક્રમ સંવત ૧૦૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાંહુતિની તિથિ રવિવાર માગસર વિદે ૭ છે. લેખકની પ્રશસ્તિને એક શ્લોક ગુમ થયા છે અને ખીજો અધૂરા છે, તેથી લેખકના પરિચય મળતા નથી. પ્રસ્તુત પ્રતિ પ, અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ શ્લોકા ઓછાવત્તે અંશે ત્રુટિત છે (પૃ. ૨૨૯). ૫. અભયકુમાર એ કાઈ સાધુ જ છે તે વિશે તે શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણુ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્માણુ કહેલ છે. આ બ્રહ્માગચ્છીય ૫. અભયકુમારને વિશેષ પરિચય સુલભ નથી. પ્રસ્તુત પ્રતિની લિખિ છે તે દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂ દેશીય દેવનાગરી છે. તેને સરલતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ ૧, જુઓ આગળ હેતુબિન્દુના પ્રભાત્ર અને ઉપયાગ’એ મથાળા નીચેનું લખાણ, ૨. જીએ તેમના કેટલેાગની પ્રસ્તાવના, પૃ. ૪૨. ૩. મારવાડમાં જે વમાણુ ગામ છે તેના જઉપરથી બ્રહ્માણ ગચ્છ’નામ પડેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy