SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતો અનેકાન્ત [ ૮૭ દાચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઈચ્છનારને હું થેડીક સૂચનાઓ કરવા ઈચ્છું છું. જે તેઓ એ સૂચના પ્રમાણે વર્તી દેશે તે તેમને પિતાને પિતાની જ આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જેને હેય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયની માન્ય ગીતા વાંચે. વાંચતાં કેવળ એટલી જ દષ્ટિ રહે કે દરેક સંપ્રદાયના તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંયમ, અહિંસા આદિ સદ્દગુણોની પુષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઈચ્છનારને હું સૂચના કરવા: ઈચ્છું છું કે ખુદ તથાગત બુદ્ધે પિતે કેવા અર્થમાં યિાવાદી છે અને કયા અર્થમાં અક્રિયાવાદી છે એને જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદષ્ટિ જીવનમાં હોવાની સાબિતી આપી છે, તેને જૈન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાતંજલ યેગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જુના ઉપનિષદોમાં જે અધિકાર પરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તેલન કરવું, જેવું કે આચાર્ય હરિભદ્ર અને યશવિજજીએ કર્યું છે. જરથેસ્બિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાઓ સુધી ન જાય, તેય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન, શાસ્ત્રો સાથેના તેલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદષ્ટિ કોઈ એક જ પંથમાં બંધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઈચ્છનારને હું એક બીજી પણ સૂચન કરવા ઇચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજજાના અમુક માણસે સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણ તેણે એ પસંદ કરેલ વ્યક્તિઓની જીવનચર્ચા ને વિચારસરણી તટસ્થપણે નોંધવી. પસંદ કરાયેલ સરખા દરજજાના વ્યાપારીઓ હોય કે વકીલે, ડૉકટરે હેય કે શિક્ષકે, ખેડૂતે હોય કે ન કરે, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે. વારસામાં અનેકાંતદષ્ટિ મળવાનો દાવો કરનાર ને તે બાબત વધારે ગૌરવ, લેનાર જેને કરતાં જૈનેતરે કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ બરાબર છે. જીવતો અનેકાંત આપણને જાગતા રહેવા, પિતાની જાતને કે બીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પિતાના સંપ્રદાય વિશે તેમ જ બીજા સંપ્રદાયો વિશે જે અઘટિત વિધાને કર્યા કરીએ છીએ, તેથી બચતા રહેવું એ આપણે પ્રથમ ધર્મ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy