________________
A
[ હ૩
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન અને આખા ઈતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્ય સંસ્થા એમાં પણ કમાગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે. તેનું જિજ્ઞાસાવર્ધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે. - રાજભવનની વિગતો સમજાવવા તેમણે કેટલાંક ચિત્રો પણ પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પોતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં. જઈ પહોંચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષુને છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું હૂબહૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિક અગર ધર્મસંપ્રદાયને ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષ છે, જ્યારે બાણ વૈદિક બ્રાહ્મણ છે, તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વતા અને મહત્તાને જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠે કે ગુરુકુળની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તે પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબની હતી. એ દાર્શનિકના વર્ણનમાં બાણે તે કાળે ચાલુ પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાને સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રન્થપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાન્ત સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યોનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિમળ કરતા.
જે ૧૯ દાર્શનિકેને ઉલેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યાર બાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આહંત, ૨. મશ્કરી, ૩. શ્વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, પ. ભાગવત, ૬. વર્ણ, ૭. કેશલુંચન, ૮. કપિલ, ૯, જૈન, ૧૦. લેકાયતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારધી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭. સાપ્તતત્તવ, ૧૮. શાબ્દ અને ૧૯. પાંચરત્રિક ધર્મપથનો ઉલ્લેખ કર્યો. છે. આ પથેનું ઓળખાણ ડૉ. અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને કલાકૃતિઓને આધારે તેમ જ યશસ્તિલચંપૂ, નૈષધ મહાકાવ્ય અને પ્રધચન્દ્રોદય નાટક આદિ અનેકવિધ સાહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમાં ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ પથેની પ્રસ્તુત ૧૯ પશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org