________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
[ ર૭ છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચોંટી ગયેલ એવા અત્યંત ઝીણું વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મરમ લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાક્ય ક્યું છે તે આ
मग्नांशुरूपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावर्जितराजतराजहंसास्यसमुद्गीणेन पयसा प्रक्षाल्य मुखकमलम् ।
આ ૧૬ શબ્દોના શ્લેષપ્રધાન સમાસના અઘરા અર્થો ઠીક ઠીક સમ જવા અને શબ્દોને માર્યા-મચડ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડયો, પણ જ્યારે તેમણે તક્ષશિલામાંથી સિરપની દાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી. કુમારસ્વામીના હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ' નામના પુસ્તકમાં ફલક ૪૦માના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલોકન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થે પૈકી પ્રથમ અને મહત્ત્વને અર્થ પૂરેપૂરે સમજાયે, અને તેમણે ઊંડી નિરાંત અનુભવી. એ પચે અર્થે તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શું છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તે ચાંદીનું એટલે કે રાજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬૩ ઈંચ ઊંચું છે. એ જ રીતે શ્રી. કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તે તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચેટી ગઈ હોય તેવી ઝીણું ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે છે. આર. સી. હાજરાને લેખ ( A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist ) Hi sluor's MEMIL અર્થ દ્રય મલ આદિ તંત્ર ગ્રંથને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલ છે તે અર્થ . અગ્રવાલે એક શિલ્પાકૃતિમાં છે અને શ્રી. હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાણુની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણુને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનાં પ્રકટ લક્ષણ વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org