________________
ચેતન-ગ્રંથો
[૧૩] સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તકે પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય પ્રગટ કરવામાં આવે તે નવા વિચારપ્રવાહોથી યુક્ત હવું ઘટે અને એમ થાય તો જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચારપ્રવાહોથી યુક્ત એટલે ઈતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દૃષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન.
અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુસ્તકો જ નહિ, માત્ર પુસ્તક છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તે ચેતન-ગ્રંથ તૈયાર કરવાની છે, અને અત્યારે તો એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન એટલે નહિ, ગ્રંથકાર-વિદ્વાને સમજવા. અત્યાર લગી આવા ચેતન-થે તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારે, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારે. આપણે—આપણે આખો સમાજ–અંધશ્રદ્ધાના ફૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહોએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણું દર્શનશક્તિમાં વધારે કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણું પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસે–ચેતન– –તૈયાર કરવા માટે શું કરવું ધટે એને હજીય આપણને જોઈએ તે વિચાર આવતો નથી. અત્યારની આપણું સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઈજેશન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજું સ્થાનમાંની પણ સંસ્થાઓ શ્રી છૂટી રહે તે કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તો બધી સંસ્થાએમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ.
ચેતન– –માણસો તૈયાર કરવા હોય તે સૌથી પ્રથમ તેની આર્થિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org