SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [sv& નિષ્ક્રિય કર્યો તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેં કાતા, તેને પણ નિષિ અને ધણીવાર તેા જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ ક્રાન્તિયુગના પ્રભાવ છે, પણ આથી કેાઈ વિચારકે કે સુધારકે હરખાઈ પેાતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ધણીવાર ક્ષુલ્લક વિચારકા અને ભીરુ સ્વાથી સુધારકા પોતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કાઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ ખીજા પક્ષને માત્ર વગેાવવા ખાતર કાઈ પણ જાતના શબ્દને! પ્રયાગ કરવા એ તાત્ત્વિક દૃષ્ટિએ હિંસા જ છે. પાતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી ચાગ્ય શબ્દ વાપરવા એ એક વાત છે અને ઝનૂનમાં આવી ખીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક ખેલનારતે મોઢે કાંઈ તાળુ દેવાતુ નથી, અગર દરેક લખનારના હાથ કાંઈ ખૂંધાતા નથી, એટલે કાઈ ઉતાવળિયાએ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈ એ. પહેલું તો એ કે પોતાના માટે જ્યારે કાઈ એ નાસ્તિક કે એવા ખીજે શબ્દ વાપર્યો હાય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ક્ત જુદો મત ધરાવનાર અથવા એના મતને ન માનનાર એટલા જ અમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યોં છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કાઈ દુત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી. ખીજું એ કે જો એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વો છે. એ તત્ત્વોને એ માલિક છે અને જે વસ્તુને જે માલિક હોય તે માણસ તે વસ્તુને મરજી પ્રમાણે ઉપયોગ કરવા સર્જાયેલ છે. તેનામાં જે આવેશનું તત્ત્વ હોય તા ધીરજ કયાંથી આવવાની ? અને જો સંકુચિતપણું હાય તો ઉદારતા કથાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પોતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ ખીજા કાદવથી ન ધાવાય, પણ પાણીથી જ ધાવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy