________________
આસ્તિક અને નાસ્તિક શબ્દ નમીમાંસા
[૭૦૭
વિચાર તેણે મૂક્યો કે તરત જ રૂઢિપ્રિય વર્ગે તેને મિથ્યાદષ્ટિ કહ્યો. એક જતિ
જે કલ્પસૂત્ર જેવાં પવિત્ર પુસ્તકે વાંચે અને લેકે પાસે તેની પૂજા કરાવી જે દીનદક્ષિણ આવે તે પોતે પચાવી લે; વળી બીજે જતિ મંદિરની આવકને માલિક થાય અને એ પિસાથી અનાચાર વધારે; આમ બનતું જઈ તેની અગ્યતા
જ્યારે કોઈએ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તે પેલા સ્વાથી જતિઓએ એ વિચારકને પિતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાદષ્ટિ સુધ્ધાં કહ્યું. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા, અને હવે તે તે એવા સ્થિર થઈ ગયા છે કે જે મોટેભાગે વિચારશીલ, સુધારક અને કઈ વસ્તુની યેચાયેગ્યતાની પરીક્ષા કરનાર માટે જ વપરાય છે. જૂનાં બંધ, જૂના નિયમે, જૂની મર્યાદાઓ અને જૂના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે બંધબેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું બંધન અને અમુક પ્રકારની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય, અજ્ઞાન અને સંકુચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તે જ સમાજ સુખી રહી શકે, ધર્મ એ જે વિખવાદ વધારતો હોય તો તે ધર્મ હોઈ ન શકે–એવી સીધીસાદી અને સર્વમાન્ય બાબત કહેનાર કોઈ નીકળે કે તરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જૈનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અંધાધૂધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લોકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા હતી, પણ જ્યારે સમાજ ઊંચે ઊડ્યો ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટક્યો અને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમ જ દેશદ્રોહ પણ જણા; અને રાજદ્રોહ શબ્દ જે એકવાર ભારે ગુનાહિત માટે જ વપરાત અને અપમાનસૂચક દેખાતે તેની પ્રતિષ્ઠા વધી પડી. આજે તે દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહ શબ્દને પૂજે છે અને પિતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારે જ નહિ પણ લાખ સ્ત્રી અને યુષ બહાર આવે છે અને લેકે તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનને જ નહિ પણ આખી દુનિયાને મહાન સંત એ મહાન રાજદ્રોહના અર્થમાં જ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદષ્ટિ જે એક વખતે ફક્ત પિતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઈક કદર્થનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યજે એ પણ માણસ છે. એની સેવા લઈ એને તિરસ્કાર કરે એમાં બેવડે ગુને છે. વૈધવ્ય મરજિયાત હોઈ શકે, ફરજિયાત નહિ, એવો વિચાર ગાંધીજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org