________________
૬૭૨ ]
દર્શન અને ચિંતન " પાલિ અને બીજા “મહાવસ્તુ' આદિ સાહિત્યમાં બુદ્ધની પત્નીનું નામ યશોધરા તરીકે જાણીતું છે, જ્યારે લલિતવિસ્તરમાં એનું નામ ગોપા છે; એટલે આ લેખમાં ગોપાના નામને જ ઉપયોગ કરીશું. બુદ્ધ એ વિશેષણ કે નામ ત્યાગ પછીનું છે; મૂળ નામ સિદ્ધાર્થ છે.
સ્મૃતિગ્રંથમાં બ્રાહ્મ વગેરે આઠ પ્રકારનાં એ દર્શાવેલાં છે. તે જુદા જુદા સમયે અગર એક જ સમયે પણ જુદા જુદા સમાજોમાં બનેલી લગ્નધટનાઓ ઉપરથી તારવેલાં છે. પૌરાણિક અને ઇતર કથાસાહિત્ય કે નાટક-આખ્યાન સાહિત્યમાં જે અનેકવિધ લગ્નની ઘટનાઓ મળે છે, તે જોતાં સ્મૃતિકાએ વર્ણવેલા લગ્નના આઠ પ્રકારે એ સામાજિક યથાર્થતાનું એક નિરૂપણ લાગે છે. વળી, જ્યારે આ દેશ અને પરદેશના જુદા જુદા સમાજમાં બનતી અને પ્રવર્તતી લગ્નઘટનાઓ તેમ જ લગ્નપ્રથાઓ વિશે વાંચીએ છીએ, ત્યારે સ્મૃતિકાનું એ નિરૂપણ યથાર્થ લાગે છે. તેમ છતાં લલિતવિસ્તરમાં બુદ્ધ અને ગે પાનું જે લગ્નચિત્ર આલેખાયેલું છે, તે અનેક દૃષ્ટિએ બધાથી ચડી જાય એનું છે એમ લાગે છે. રામ મહાન પુરુષ, કૃષ્ણ પણ તેવા જ, મહાદેવ પણ દેવ જ, પાંડે પણ વીરપુરુષો, નળ પણ સુવિખ્યાત, અજ એક પૌરાણિક અને પૃથ્વીરાજ એ એતિહાસિક. આવા પુરુષોના લગ્નપ્રસંગે તે તે કાવ્ય કે પુરાણમાં આવે છે અને મેટેભાગે સામાન્ય જનતા એનાથી પરિચિત પણ છે. પરંતુ લલિતવિસ્તરમાં બુદ્ધ ને ગોપાનો જે લગ્નપ્રસંગ આવે છે, તે અત્યંત બેધપ્રદ હવા ઉપરાંત આકર્ષક અને રસપ્રેરક પણ છે, છતાં એ અજ્ઞાત રહ્યો હોય એમ લાગે છે. એમ ન હેત તે અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ જેવા અનેક કવિઓએ તે પ્રસંગ ઉપર મોહક કાવ્ય રચ્યાં હેત.
રામ શવધનુર્ભાગ દ્વારા પરાક્રમને પુરાવો આપે છે ને સીતા એમને પતિ તરીકે સ્વીકારે છે. કૃષ્ણ કિમણીનું એની ઈચ્છાથી પણ હરણ કરે છે. મહાદેવ પાર્વતીની તપસ્યામૂલક ભક્તિથી એને સ્વીકારે છે. અર્જુનના મસ્યવેધથી દ્રૌપદી એને વરતાં છેવટે પાંચે ભાઈઓને વરે છે. દયમતી નળને અને દુમતી અને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ તરીકે સ્વીકારે છે. સંયુક્તા પૃથ્વીરાજને સ્વયંવરમાં જ વરે છે. આટલા દાખલાઓમાં આપણે એ જોઈએ છીએ કે લગ્ન પહેલાં બન્ને ઉમેદવાર એકબીજાને ભલે ચાહતાં હોય છતાં છૂટથી એકબીજાની પરીક્ષા નથી કરતાં કે નથી કરતાં ગૃહસ્થાશ્રમને યોગ્ય ગણેની ધીર મીમાંસા. એક અથવા બીજા કારણે તેઓ પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org