SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૭ ' તે સમયે સામાન્ય લેકવ્યવહારને અનુસરીને બેધિસત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યો, પણ તે વખતે તેમના મનને સમસ્ત વિચારપ્રવાહ તે જ દિશામાં વહેતા એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખે. જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહ હોય છે. તે પ્રમાણે બધિસત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચારપ્રવાહ. વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે બુદ્ધ અગિસનને ઉદ્દેશી પિતાને સૂઝેલી ત્રણ ઉપમાઓ કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી : (૧) પાણીમાં પડેલું ભીનું લાકડું હેય ને તેને બીજા લાકડાંથી ધસવામાં આવે છે તેમાંથી આગ ન નીકળે. તે રીતે જેનાં મનમાં વાસના ભરી હોય અને ભોગનાં સાધનોમાં જેઓ રચ્યાપચ્યા હોય તેઓ ગમે તેટલું હઠયોગનું કષ્ટ વેઠે તેય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨) બીજું લાકડું પાણીથી આધે હોય, છતાં હાય ભીનું. એનેય ઘસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભેગનાં સાધનોથી આઘે અરણ્યમાં રહેલ સાધક હોય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તેય કેઈ તપ તેમાં સાચું જ્ઞાન. ઉપજાવી શકે નહિ. (૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હેય ને જળથી વેગળું હોય તેને અરણિથી ઘસવામાં આવે તે આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભેગનાં સાધનોથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એ સાધક જ ગભાર્ગને અવલંબી સાચું જ્ઞાન મેળવી શકે. . વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, હું જ્યારે સાધના કરતા ત્યારે જ મને વિચાર આવ્યો કે મનમાં સારા અને નરસા બન્ને પ્રકારના વિતર્ક કે વિચાર આવ્યા કરે છે. તેથી મારે એના બે ભાગ પાડવા : જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એકબાજુ અને જે કુશળ કે હિતકારી વિતર્કો છે તે બીજી બાજુ. કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળ વિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કેઈને પીડા ને આપવાની વૃત્તિ એ ત્રણ કુશળ વિતર્કો છે. હું વિચાર કરતો બેસું અને મનમાં કોઈ અંકુશળ વિતર્ક આવ્યું કે તરત જ વિચાર કરતે કે આ વિતર્ક મારું કે બીજા કેઈનું હિત કરનાર તે છે જ નહિ, અને વધારામાં તે પ્રજ્ઞાને રોકે છે. મન ઉપરની પાકી ચેકીદારી અને સતત જાગૃ-- તિથી એવા વિતને હું રેકતે, તે એવી રીતે કે જેમકેઈગેવાળિયે, પાકથી ઊભરાતાં ખેતરે ન ભેળાય એ માટે, પાક ખાવા દોડતી ગાને સાવધાનીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy