SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] દર્શન અને ચિંતન જન્મથી મૂર્તિપૂજા ન માનનાર ફિરકાને હતે. અનેક તીર્થો ને મંદિરમાં જવા છતાં એમાં પાષાણની ભાવના સિવાય બીજી ભાવના સ્કુરતી નહિ. કયારેક પ્રખર જૈન તાર્કિક યશોવિજયજીનું “પ્રતિમાશતક ” મારા વાંચવામાં આવ્યું. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે મરણ જે નામથી થતું હોય તે રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં સ્મરણના કેઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યેગ્ય છે ? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે ભારે જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તે ખરી રીતે વાણું ને મનને અગેચર જ છેપણ આપણે જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીક છે; પછી ભલે તે પ્રતીકે કાઇ, પાષાણ કે ધાતુનાં મૂર્ત રૂપ હય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય. આખરે તે એ બધાં મૂર્ત—અમૂર્ત પ્રતીકે જ છે. તેમણે આ ચર્ચા પ્રસંગે માનસશાસ્ત્રનાં સિદ્ધાન્ત અને તત્ત્વજ્ઞાનને જે સુમેળ સાધ્યું છે તેના ઉપર કોઈ તટસ્થપણે વિચાર કરે તે એના મનમાંથી મૂર્તિપૂજા સામેનો કાળજાનો વિરેાધ સરી પડ્યા વિના ન રહે. શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તેઓ સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેઓ ઈસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં બે ત —ઈશ્વરનું પિતૃત્વ અને માનવોનું ભ્રાતૃત્વને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ એલતા હાઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણાઓ વિષે વધારે ટીકા કરે છે; છતાં. પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાએ ફેંકી દેવાનો દઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતલ બુદ્ધિનું પ્રમાણ છે. પરંતુ રાધાકણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદષ્ટિ તે ત્યારે વ્યક્ત થાય છે જ્યારે તેઓ કહે છે કે “અહિંસાની જે છટાભેર વાત કરે છે તેઓ પશયને ઉત્તેજન આપતા દેખાય છે;” (પૃ. ૧૩૬) તેમ જ જ્યારે તેઓ કહે છે કે “એક બીજાનું ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદ, બુદ્ધિ ન સમજી શકે એવા તત્વનાં ટૂંપણું અને જુલમગાર પ્રથાઓ, જેની નીચે મનુષ્યને આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈએ.” (પૃ. ૧૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy