SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ ] દર્શન અને ચિંતન ફેંકવા કેડ બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પધી સૈન્ય વચ્ચે જ અર્જુનને મેઢે ધર્મ વિષયક પ્રશ્ન કરાવ્યું છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમને અગત્યને ફાળે હતું અને જે સારથિરૂપે દોરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ અપાવ્યું છે. એક તે યુદ્ધતિ જ લેકેને સહેજે ભાવતી વસ્તુ છે; એને રસ જાગ્યા પછી માણસ મરણપર્યત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણુ યુદ્ધ વાર્તા લખ્યા એ ઉક્તિ તે કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તે ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાનોને અંતે અને નિર્ણય લે કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તે તે જાણે, પણ આપણે જ્યારે વચ્ચે વચનં તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેને પાકે યુનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તે નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી, અને બન્યું પણ તેમ જ. નૈમિષારણ્યમાં કે બીજા તપવનમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય તેયે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તો યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શિલી બહુ રેચક બની છે. (૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ તે એમાં ચર્ચાયેલા વિષયની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પિતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજે જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પોતાની દષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પિતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મવેગની અર્થાત ફલેચ્છાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવનવ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મોક્ષ અને નિવૃત્તિની વાતમાં જેટલે રસ લેતે, તેટલે સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેત. એથી ન તે તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસર મંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દષ્ટિ સ્પષ્ટ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy