________________
દર્શન અને ચિંતન ચાલ્યાના દાખલાઓ છે? અનાચારી સાધુઓને સધે, સમાજે કે રાજાએ સજા કર્યાના દાખલાઓ મળી આવે છે?
- ૨૬. વિષયત્યાગ કરી સાધુ થયા પછી ફરી ગૃહસ્થાશ્રમમાં છૂટ સાથે કે છૂટ વગર દાખલ થયાનાં દૃષ્ટાંત મળી આવે છે ?
૨૭. સાધુઓની અત્યંત વિરક્તિ સામે સમાજમાં અત્યંત વિષયાશક્તિ વધી છે એવું અનુમાન કાઢવાને અવકાશ છે? બ્રહ્મચર્યના આદર્શની ટોળ, મશ્કરી કે હાંસી કરનારા પુરૂષો અથવા ઉલ્લેખો મળી આવે છે?
૨૮. જૈન ધર્મના શ્વેતાંબર, દિગમ્બર વગેરે વિભાગમાં બ્રહ્મચર્યના આદર્શની બાબતમાં કાંઈ સૂક્ષ્મ અથવા સ્કૂલ મતભેદ છે?
૨૯. લોકોત્તર વિભૂતિઓને બાદ કરતાં અને કેવળ સામાન્ય દાખલાઓ જોતાં સ્વચ્છ ગૃહસ્થાશ્રમી ભાણસ કરતાં ચુસ્ત બ્રહ્મચારી માનસિક અથવા આધ્યાત્મિક શક્તિમાં ચડિયાત હોય છે એવો અનુભવ થયો છે ?
૩૦. બ્રહ્મચર્યની શક્તિ વિશે જેટલા દાવા કરેલ છે તેમાંના કેટલા સાચા નીવડ્યા છે ?
૩૧. કુટુંબફ્લેશથી કાયર થઈ અથવા જીવનસંગ્રામમાં હારી જઈ સાધુ થયેલા લેકનું પ્રમાણ કેટલું હશે? "
૩૨. કોઈ પણ વિશ્વસનીય ડૉક્ટર પાસેથી સાધુઓને થતા રોગો વિશે સામાન્ય માહિતી મળી શકે એવું છે ?
૩૩. કામવિકાર દુસહ થાય ત્યારે તે શાંત પાડવા ખાતર સાધુઓ ક્યા ઉપાયે શોધે છે ?
૩૪. સાધ્વી બ્રહ્મચારિણી માટે કેવા કેવા નિયમે કરેલા છે?
૩૫. ઉપરના સવાલમાંથી તેમને લાગુ પડતા સવાલની કોઈ માહિતી મળે છે?
૩૬. સાધ્વી બ્રહ્મચારિણીઓની સંખ્યા દરેક જમાનામાં કેટલી હતી? ક્યારે તે સંખ્યા વધેલી અને ક્યારે ઘટેલી ? એ વિશે કોઈ માહિતી મળે એમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org