________________
તપ અને પરિવહન
[ ૪૪૯
અમલદારને આપણે આપણા માટે શા સારુ આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઈગ્લેંડમાં જઈ શનિ ભગવે. ખાસ કરી આપણા બધા જ સમજેમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લેકેને શા માટે હેરાન કરવા જોઈએ ?
એટલે આજે સ્વરાજ મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તે એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતું નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આ સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તે એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપયોગથી, પુરુષોની જરા પણ મદદ સિવાય, સ્વરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલબેલી છે—જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજારે વર્ષના વારસાનો સુંદરતમ ઉપગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એને ઉપયોગ કરો અને એ દિશામાં વિચાર કરે એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે.
કે એમ ન ધારે કે અત્યારે આ જે મોજું ચાલી રહ્યું છે, તેને લાભ લઈ બોલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુ ઓને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલે છે કે જે બળ આપણુમાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેને અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશે જ ઉપયોગ નથી થતે, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરિષહનું કેટલું મહત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પિતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂકયું છે! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બન્ને આત્યંતર તપ રહેલાં છે. તે પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજા તેવાં અનેક તપે ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનને સયાગ કરી એને લેકગમ્ય ઉપયોગ કરીએ તે શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org