________________
મંગળપ્રવચન
[ ૧૩. છે, અને તે એ કે ગીતાના સંદેશ તરફ આપ સૌનું ધ્યાન ખેંચવું. ગીતા એ ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાળમાં ગમે તે સમ્પ્રવૃત્તિ કરનારને પુસ્નાર્થમાં પ્રેરનારું એક અનુપમ પ્રતીક છે. આપણું એટલે અધ્યેતા અને અધ્યાપકોનું ધર્મક્ષેત્ર તે તે વિદ્યાક્ષેત્ર જ છે. એ ક્ષેત્રમાં પ્રવૃત્ત પણ ઢીલુંપોચું થયેલું, સદેહશીલ તેમ જ મુખ્ય ધ્યેયથી સહેજ પણ ફંટાતું મન એ જ અર્જુન છે અને અંદરને જાગતો, વિવેકી અંતરાત્મા એ કૃષ્ણ છે. તે અર્જુનને નિષ્ઠાવાન થવા, વિવેક કેળવવા, તેમ જ અપ્રમત્ત બની ધ્યેય ભણી આગળ. વધવા સંકેત કરે છે. આપણે સૌ એ સંકેતને અર્થ જેટલા પ્રમાણમાં વધારે સમજીએ તેટલા પ્રમાણમાં સૌનું મંગળ છે.
તા. ૧૧-૯-૪૨ ને રાજ ભે, જે. વિદ્યાભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકે: આગળ કરેલું પ્રવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org