SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યચારીની મીમાંસા [ ૩૯૬ • વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરોધીઓ પણ આપોઆપ સમ્મત થશે. જૈન ધર્મમાં ધૈય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઇચ્છા જન્મે અને દીક્ષાની સમ્મતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં ધૈય અને સહનશીલતા કેળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ, અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારાએ ભગવાનના જીવનનું એ તત્ત્વ જાણી લઈ તે અમલમાં મૂકયુ હતુ. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકાઓમાં એક પણ દાખલા અસમ્મત દીક્ષાને નથી જોતા. આ રીતે સમ્મતદીક્ષાની પરંપરા મૂળમાં તે ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસમ્મતદીક્ષા આપવાના વિચાર કરવા કે તેવી દીક્ષા લેવાને વિચાર કરવા એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવુ જ થઈ પડયું. જૈન શ્રમણુસંધની કહા કે જૈનધર્મોની કહા, પ્રતિષ્ઠાના આધાર માત્ર મહાવ્રતા છે. અસંમત દીક્ષાથી મહાવ્રતને! ભગ ન થતા હોય તેવા દાખલામાં પણ મહાવ્રતના ભંગ વિશે કે મહાત્રત દૂષિત’ થવા વિશે શકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમસંધ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સધે સમ્મતદીક્ષાની પર પરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સમ્મતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ બની ગયું. ભગવાનના સંધને લગભગ છસો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખા વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંધ ફેલાયા હતા. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન દરજ્જાના લેાકેા એમાં દાખલ થઈ ચૂકયા હતા, અને દાખલ થતા જતા હતા. સંધની આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાંખે ગાળે કાઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવું નથી. એક પ્રસંગ ઊભા થાય છે. તે આ રક્ષિતને છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠા સૈકાના છે. આય રક્ષિતે આય તાલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે આપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સમ્મતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસમ્મતિને તો સવાલ જ નહાતા. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસમ્મતિ અને તે પણ વિરાધ વિનાની અસમ્મતિ છતાં આય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy