________________
૮ ]
આ દૃષ્ટિએ ગાંધીજી
આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતા અમૃત ઝરા પૂરેશ પાડનાર કાઈ અખૂટ ઊગમસ્થાન હેાય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિયને વળગી રહેવાની મક્કમતા અને ગમે તેના ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતા–એ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકા અને શિક્ષકા પર અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેને! ધણા આધાર છે.
દર્શન અને ચિતન
ધંધાદારી અને કુટુંબપતિને
આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તે માત્ર વિદ્યાથી ઓને જ શીખવાનુ છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ? અને કેવી રીતે શીખી શકીએ ? પણુ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મેન્ટેન્સારીની શિક્ષણપદ્ધતિમાં માત્ર શિશુ અને બાલકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાતા, પણ તેના વડીલો સુદ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણુ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તે જ શિશુ અને બાળકાનું જીવન ધર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મેટી ઉમરના વિદ્યાથીઓની બાબતમાં પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તેાપણુ તે બચત સમય અને શક્તિના ઉપયેગ સુસ સ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ, પણ તેણે તેમ કરવું પણ જોઈ એ. નહિ તો તેની અને તેનાં સતાનેાની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સતાનને ઉવેખશે. એવી સ્થિતિ કદી પણ ઇષ્ટ નથી કે જ્યારે સંતાને કહે કે વડીલો વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલો કહે કે ભગેલા ગણાતા વિદ્યાર્થીએ માત્ર હવામાં ઊડે છે. વડીલા અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊડી ન અને તેનો રામબાણ ઇલાજ મુખ્યપણે વડીલેાના હાથમાં જ છે, પછી ભલેને તે ગમે તેવા ધધાદારી અને કુટુંબી હોય. એ ઇલાજ એટલે તેમણે પેતે પેાતાની સમજને શુદ્ધ કરવાના પ્રયત્ન કરવા તે.
—પ્રબુદ્ધ જૈન ૮. ૪૫.
તા. ૧૪–૭–૪૫ ના રોજ સત્રારભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલુ પ્રવચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org