________________
ભગવાન મહાવીરના વિવિધ સદિશ
[ રહe આવે ત્યારે તે સિહતિનું ગૌરવ ગાઈ પાછળ એ જ નિરર્થક સિદ્ધ થયેલે બાહ્ય. આચારના ખાને બચાવ કરીએ છીએ.
ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહના જીવનગત બીજેને વિસાવવા તેમ જ સિદ્ધ કરવા ઘરબાર છોડ્યાં, જંગલને રાહ લીધે. અને બીજાના શ્રમ ઉપર જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને. સહિષ્ણુ ત્યાગીજીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદષ્ટિ. અને અહિંસા-અપરિગ્રહ સિદ્ધ કરી તેને વારસો બીજાને આપે. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના ખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જેવું ભૂલી ગયા કે વસ્તુતઃ મૂળ સિદ્ધતિ પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીઓ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડ્યા, અને હજાર વર્ષ પહેલાના ત્યાગીને આચાર-ઓખાને મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થ, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદર્શ માની ચાલે છે અને તેમનું અનુકરણ કરે છે તેઓ, પણ એવા જ શુષ્ક આચારના ખોખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમ જ અહિંસા-અપરિગ્રહની જાગતી દષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા.
બીજાના શ્રમ ઉપર ન જીવવાની દૃષ્ટિએ ક્યારેક જાયેલે અનગારમાર્ગ આજે એટલે બધે વિકૃત થઈ ગયું છે કે તેનું પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉધાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી. લઈ લેચ કરે વગેરે કઠણ આચારે અને મિલમાં તૈયાર થયેલ ઝીણું તેમ જ રેશમી–ભેગી જનને શોભે તેવાં–કપડાં એ બેને ત્યાગીજીવનમાં મેળ છે, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અગ્રિહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ. સ્વીકારનાર ત્યાગીવર્ગ જમાને બદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણું રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પિતાનાં કપડાં પિતે તૈયાર કેમ ન કરે ? આ પ્રશ્ન અઘરે અને ધર્મઘાતક લાગતા હોય તે તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાતો વિશેની સાચી અને ઊંડી સમજણ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનું કાર્ય કેાઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તો તેને સમાજ ત્યાગટ્યુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિવૃત્તિને જ પૂર્ણ ધર્મ માની લીધું અને એ ભૂલી. ગયા કે દોષનિવૃત્તિ એ તે ધર્મમાત્રની એક બાજુ જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સપ્રવૃત્તિનો આગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org