________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય
ભાણેજ તથા માં પણ તેમને
- સબ ધમાં પણ ભગવાનના
જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમને શિષ્ય દેવદત્ત હતો તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમને શિષ્ય જમાલ હતા. આ દેવદત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદના આતંરિક કે બાહ્ય કારણો ઉપર કેટલાક પ્રકાશ પડવાનો સંભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને જમાલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનને શિષ્ય હતા અને સાંસારિક સ્થિતિમાં પણ તેમને સગે જ હતું, અને જમાલિ પણ મહાવીરને ભાણેજ તથા જમાઈ હતે. સગે અને શિષ્ય છતાં દેવદત્તને બુદ્ધ ભગવાનના શિષ્યવર્ગમાં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સંબંધમાં પણ તેમ જ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પિતાના ગુરુ સમક્ષ પિતા સિવાય બીજાઓનું પ્રધાનપણું–આ ત્રણે કારણે, જેનાથી સામાન્ય રીતે મતભેદને વધારે સંભવ છે, તે ઉપરથી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવદત્તે અનેક પ્રપ રચી બુદ્ધિને મારવા કશિશ કરી હતી તેવું જમાલિએ કાંઈ પણ કર્યું હોય તે માટે એક પણ પ્રમાણુ નથી, છતાં એટલું ખર કે દેવદત્ત અને જમાલિએ પિતપોતાના ગુરુવિરુદ્ધ પિતાને ખાસ અનુયાયીવર્ગ સ્થાપ્યો હતો. દેવદત અને જમાલિ પછી તેઓને અનુયાયી વર્ગ કે તેઓના પંથનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તને ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં ક્યાંય નથી, માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિને ઉલ્લેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદતને સૌથી પહેલે “સંધભેદક' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ “નિદ્ભવ” કહ્યો છે. સંધભેદક અને નિદ્ભવ બંને શતું. તાત્પર્ય એક જ છે. દેવદત્ત અને જમાલિ એ બને પિતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધર્મ પામ્યા હતા.
વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં તે જમાલિને ઉલ્લેખ નથી જ, પણ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેને ઉલ્લેખ એક પાક્ષિક જ છે. દિગંબરીય સાહિત્યમાં જમાલિનું મહાવીરના જામતારૂપે વર્ણન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org