SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર પુરાણપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી નીચેની એ ખાતાથી થાય છે. ઋષિપચમી એ ઋષભપચમી હોવી જોઈએ પહેલી બાબત ઋષિપંચમીના પર્વની અને બીજી બાબત કાંક પણ જૈનેતર વર્ગોમાં ઋષભની ઉપાસનાને લગતી છે. ભાદરવા શુદ પાંચમ ઋષિપંચમી તરીકે જૈનેતર વર્ગીમાં સત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જૈન પરંપરામાં સાંવત્સરિક પ એ ખીજાં બધાંય પર્યાં કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હાઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પર પરામાં ઋષિપંચમીના પ તરીકે ઊજવાય છે. આ પંચમી કાઈ પણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હોય એ જાણમાં નથી. ખીજી બાજુ જૈને તે જ પચમીને સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પવતુ નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જૈન અને વૈદિક પરંપરાના જુદાં જુદાં નામથી જાણીતાં અને પર્વોને એક જ ભાદરવા શુદ પંચમીએ ઊજવવાની માન્યતા કાઈ સમાન તત્ત્વમાં છે, અને તે તત્ત્વ મારી દૃષ્ટિએ ઋષભદેવના સ્મરણનુ છે. એક અથવા ખીજે કારણે આ જાતિમાં ઋષભદેવનું સ્મરણ ચાલ્યું આવતું અને તે નિમિત્તે ભાદરવા શુદી પાંચમી પર્વ તરીકે ઊજવાતી. આગળ જતાં જ્યારે જૈન પરપરા નિવૃત્તિ મા ભણી મુખ્યપણે ઢળી, ત્યારે તેણે એ પંચમીને આધ્યાત્મિક શુદ્ધિનું રૂપ આપવા તે દિવસને સાંવત્સરિક પર્વ તરીકે ઊજવવા માંડયા, જ્યારે વૈદિક પરંપરાના અનુગામીઓએ પરાપૂર્વથી ચાલી આવતી સામાન્ય ભૂમિકાને અનુસરીને જ એ પંચીને ઋષિપંચમી તરીકે માનવાનો પ્રધાત ચાલુ રાખ્યો. ખરી રીતે એ ઋષિપંચમી નામમાં જ ઋષભને ધ્વનિ સમાયેલા છે. ઋષભપંચમીએ જ શુદ્ધ નામ હોવું જોઈએ તે તેનું જ ઋષિપંચમી એ કાંઈક અપભ્રષ્ટ રૂપ છે. જો આ કલ્પના દીકુ હાય તો તે જૈન જૈનેતર અને વર્ગમાં પુરાણકાળથી ચાલી આવતી ઋષભદેવની માન્યતાની પુષ્ટિ કરે છે. અવધૂત પંથમાં ઋષભની ઉપાસના [ ૨૨૩ પ્રજાના સામાન્ય દેવ આ ધારણાની પુષ્ટિ બીજી પણ ખાસ મહત્ત્વની બાબત ઉપાસના વિશેની છે. ખગાળ જેવા કાઇ પ્રાંતમાં અમુક લેાકા, ભલે તે સંખ્યામાં ઓછા હોય કે બહુ જાણીતા પણ ન હાય છતાં, ઋષભની ઉપાસનામાં માને છે તે તેમને એક અવધૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy