SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] દર્શન અને ચિંતના છે, અને આ દૃષ્ટિએ કેળવણીની સંસ્થાએ ખાળકામાં સંસ્કાર પાષે છે, સમજદાર વડીલે એ રીતે બાળકાને ઉછેરે છે તે જ રીતે હવે કુટુંબ, નાત. અને શિક્ષણસ સ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પોષવા અને વિકસાવવે। આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચાર। યેાજવામાં આવે તે જ આજની જટિલ સમસ્યાને કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ. જેણે આત્મૌપમ્યની વાત કહી હતી. અગર જેણે અદ્વૈતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કયાગ દ્વારા લાકસંગ્રહની વાત કહી હતી તેણે તે તે જમાનામાં એક દન કે એક સિદ્ધાન્ત રજૂ કર્યાં હતા અને સાથે સાથે સૂચવ્યું હતું કે જો માનવજાત સુખે જીવવા માગતી હોય તેા એ દર્શન અને સિદ્ધાન્ત પ્રમાણે આચારા અને વ્યવહારો યોજે. પણ દૈવ એવું કે એ સિદ્ધાન્તા ખૂણે ખૂણે ગવાતા તેા રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બન્નેને આચાર-વ્યવહાર ઊલટી જ દિશામાં ! પરિણામ ઇતિહાસે ાંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તે। એ સિદ્ધાંતા વ્યવહાય નથી એમ કહેવું જોઈએ અને કાં તા એને માટા પાયા ઉપર અમલી ખનાવવા જોઈ એ. અન્ય રાષ્ટ્રોનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાન્તા અવ્યવહાય છે. તેથી અને જીવન જીવવા માટે બીજો કાઈ રસ્તા નથી તેથી એ સિદ્ધાન્તાને વિશ્વના આચારના પાયા લેખે ઘટાવવાની વાત કર્યો પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈ એ. આમાંથી જ જોઈતું ધડતરનીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારા યેાજી તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈ એ. સ્વતંત્રતા–દિન અને પ્રજાસત્તાક-દિન જેવા કેટલાક દિવસાને ભારતે પંતુ –રાષ્ટ્રીય પર્વનું રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પદ્યમાં ધ્વજવંદન, રાશની, પ્રભાતફેરી, વાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મારજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાએ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથા રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કાઈ એક ધ પંથ કે કોઈ એક સમાજ કે કાઈ એક વનુ પ્રાધાન્ય નથી; તે સમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાને એક જાતને વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy