________________
' ૧૯૦ ]
દર્શન અને ચિંતન હીણપત ! એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તે બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય.
પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચારવ્યવહાર ઉપરાંત બધા જ પશે, ધર્મો અને જ્ઞાતિ કે સમાજને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચાર પ્રજાજીવનમાં પડ્યા છે, જેમ કે, ભૂતદયા–પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય–ગમે તે આંગણે આવી પડે તે તેને સત્કાર, ઇષ્ટાપૂર્ત—સૌને ઉપયોગી થાય એ દષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણ કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને
આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમ, - બીમારે માટે સ્વાસ્થગૃહ, માંદા માટે દવાખાનાઓ અને લાચાર પશુ-પંખી
આદિ માટે પાંજરાપોળ અને શાળાઓ ઈત્યાદિ. આ આચારપ્રથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે.
પંથ, સમાજ અને બૃહત્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરે ઉપરાન્ત એક એવો પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતે હેય; છે એનું મૂલ્ય સૌની દૃષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બન્ને સ્તરેનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજે જ આચારસ્તર છે.
તે સ્તર એટલે ચિત્ત અને મનના મળને શેધવાનો આચાર. સંકુચિતતા, મારા-તારાપણની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મળે છે. એવા મળે હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બને આચારસ્તરનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળો ન હોય કે ઓછા હોય તે એટલા પ્રમાણમાં એ સુચિત બને સ્તરેના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચાર માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી; એટલું જ નહિ, પણ કેટલીક વાર તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લેકના આચાર–વ્યહવારને લગતી આ ટૂંકી સૂચના થઈ.
હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમ જ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org