________________
૧૩૨૩
દર્શન અને ચિંતન બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિશે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાવીરને જે કાંઈ પિતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તે તે એકાંતિક ત્યાગ જ હતું, પણ એવા ત્યાગના ઈચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લેકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તેઓ ઉમેદવારના ઓછા કે વતા ત્યાગમાં સંમત થઈ “મા વરિષધે છrટ્ટ’– વ બ ન કર-એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લેકે આજ સુધી ઘડતા આવ્યા છે.
અને આગળ પણ ઘડાશે. દેશકાળ પ્રમાણે લોકે પિતાની ભોગમર્યાદા માટે નવા નિયમે, નવા વ્યવહારે ઘડશે; જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિઓમાં ભગવાન પડ્યા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત. ત્યાગને છે. લૌકિક નિયમનું ચક્ર તેની આજુબાજુ ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ફર્યા કરે એટલું જ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયે અને ફેલાતો ગમે ત્યારે તેણે લૌકિક નિયમવાળાં ભેગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતે રાખે તે જ ન્યાય સમાજને જીવતો રહેવા હાથ ઊંચે કરી કહે છે કે–“તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જે અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગને ડોળ તું કરીશ તે જરૂર મરીશ, અને પિતાની ભેગમર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પિતાની વૃત્તિઓ તૃપ્ત કરવાને ગમે તે રીતે હકક છે અને બીજાને વૃત્તિના ભોગ બનવાનો જન્મસિદ્ધ હકક છે, એમ કદી ન માનત.” સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાને કર્યો છે. હવેની જૈન સ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તે જ જૈનસમાજ માનભેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org