________________
જૈન ધર્મ-જૈન સમાજ હિંદુ ધર્મ-હિંદુ સમાજ
[૧૧૭ એ જ સાચે રસ્તો છે. જે જૈન ધર્મ હિંદુ ધર્મને એક ભાગ છે તે પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણ રહેતું નથી.
પહેલાં ક્યારેય બીજા હિંદુઓએ જૈનોને અહિંદુ કહ્યા હોય તો તે હું નથી જાણતો, અને જૈનોએ પણ પિતાને અહિંદુ તરીકે પ્રથમ ગણુવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ઘડાતા કાયદાઓને લીધે પિતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈએ કે જેને પિતાને જુદા ગણાવવાનો આગ્રહ રાખે અને પિતાને અનિષ્ટ હેય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તો પણ લાંબી નજરે આ વસ્તુ જૈનોના પિતાના જ ગેરલાભમાં છે. નજીવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભે ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હમેશા ઓશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યને અમલ નથી કે જે લઘુમતીને પંપાળે અને વિશેષ અધિકાર આપે.
હું પિતે ઉપરના વિચાર ધરાવતો હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપદની કોઈ પણ જૈન ઈચ્છા રાખે અગર તેને સભ્ય બને એની સાવ વિરુદ્ધ છું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાને જય એટલે બ્રાહ્મણનો જય, એટલે વર્ણભેદ તેમ જ ઊંચનીચ ભાવનાનો જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુપદને જય. આ વસ્તુ મળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા–મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કશે જ સંબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે. હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મીઓ હિંદુ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યું ત્યારે જૈને, શીખે અને બૌદ્ધો કઈ પાછળ ન રહ્યા. બધાએ જ પિતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કોઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાને લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જેને એના ભાગીદાર થશે. એમને પછી માગણીને જુવે ચેક કરવાની જરૂર નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org