________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ
[ ૧૦૧
પણ છે. તેથી મને ગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ વધારે જટિલ હાઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે.
હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ તેમ જ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઇ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ પરપરા અને દરેક પર પરાના આંતર્યંત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જો કાઈ વ્યક્તિ જૈન પરપરામાં જન્મી અને ઊછરી હોય તે તેને છેક નાની ઉંમરથી એ રાખ્ખોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરુષાને સુદેવ લેખે માનવા, જૈન ગુરુઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પર પરાગત આચાર-વિચારાને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઇ હાય તેને સ્વીકારવું તે મિથ્યાદષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણુક્તિ ઊંડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દોના પારમાર્થિક તેમ જ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલો ન હેાઈ ઉપર જણાવેલ પ્રાથમિક સ્થૂલ અર્થ જ અધમ્બેસતા થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણુશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું શેાધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તે શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તો તેને ખરા અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્ભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કલ્પેલ અમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતા ફેરફાર અને સંશોધન થઈ તેને યાગ્ય અર્થ સમજવામાં આવે છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ કે આસ્તિક અને નાસ્તિક શબ્દોના, કાચી સમજણુ વખતે, ધારેલ અમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારો કે સંશોધન કરવાના અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને ખીજા વિષયામાં પાકી સમજણુ થયા પછી પણ જો શબ્દોનો એને એ અથ ધારી રાખવામાં આવે તે સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ધણી જ અસંગતિ, ત્રુટિઓ અને વિસવાદો આવવા પામે છે. દાખલા તરીકે, શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જૈન વ્યક્તિ પોતામાં સમ્યગ્ દૃષ્ટિનું અસ્તિત્વ માનવા-મનાવવા તેમજ મિથ્યાદષ્ટિના અભાવ સાખિત કરવા એટલું તેા અવશ્ય કરશે કે જૈન સિવાયની ખીજી કાઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે પરંપરાના ગુરુએને ગુરુ લેખો, અને તે પરંપરાના અધર્મ -કધમ
Jain Education International
કુદેવ લેખશે, તે આચાર-વિચારને
For Private & Personal Use Only
www.jainelibrary.org