SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વગલોલા હૃદયતળાવમાં મારો એ ચક્રવાક ઊતરી આવ્યું. (૩૮૮), અને હે સખી, અનેક ગુણે રુચિકર એવો મારો ચક્રવાકીને ભવ અને તે ભવમાં જે બધું ભગવ્યું અને જે તને મેં હમણાં કહી બતાવ્યું તે સાંભરી આવ્યું. (૩૮૯). મારી એ સ્મૃતિને કારણે પ્રિયતમના વિયોગની કરુણતાવાળું જે બધું મેં ભોગવ્યું તે તને સંક્ષેપમાં મેં કહ્યું. (૩૯૦). ભાવિજીવન અને નિશ્ચય - તને મારા જીવતરના સેગંદ છે– જયાં સુધી મને તે મારા પ્રિયતમનું ફરી મિલન ન થાય ત્યાં સુધી તું આ વાત કોઈને પણ કહીશ નહી. (૩૯૧). જે આ લેકમાં કેમેય કરીને તેની સાથે મારે સમાગમ થશે તે જ, હે સખી, હું માનવી સુખભોગાની અભિલાષા રાખીશ. (૩૯૨), સુરતસુખની પૃહા રાખતી હું આશાપિશાચને વિશ્વાસ, હે સુંદરી, તેને મળવાની લાલચે સાત વરસ પ્રતીક્ષા કરીશ. (૩૯૩). પરંતુ સખી, ત્યાં સુધીમાં જે હું મારા તે હૃદયમંદિરના વાસીને નહીં જોઉં, તે પછી જિન સાર્થવાહે ખેડેલા મેક્ષમાર્ગમાં હું પ્રવ્રયા લઈશ. (૩૯૪), અને પછી હું એવું કરીશ જેથી કરીને, સાંસારિક બંધનવાળાની ઉપર સહેજે આવી પડતું પ્રિયજનનું વિરહ દુઃખ હું ફરી કદી ન પામું. (૩૯૫). હું શ્રમણત્વરૂપી પર્વત પર નિર્વિધને આરોહણ કરીશ, જેથી કરીને જન્મ, મરણ વગેરે સર્વે દુ:ખેાનું વિરેચન થઈ જાય. (૩૯૬). હે ગૃહસ્વામિના, એ પ્રમાણે પ્રેમમાં અધિક આસક્તિવાળી ને નેહવશ દાસીને મેં મારી કથની કહીને શોકને હળવો કર્યો. (૩૯૭). એટીનુ આશ્વાસન એ કથની સાંભળીને, મારા પ્રત્યેના વાત્સલ્યથી કેમળ હૃદયવાળી સારસિક મારા દુઃખ ને શોકથી સંતપ્ત થઈને કેટલા સમય સુધી રડતી રહી. (૩૯૮). પછી તે રડતાં રડતાં મને કહેવા લાગી, “ અરેરે સ્વામિની ! મેં જાણ્યું, તારું આ પ્રિયવિરહનું દુઃખ કેવું હૈયું બાળી નાખે તેવું છે તે. (૩૯૯). પોતે પૂર્વે કરેલાં કર્મોરૂપી પાપક્ષેનાં કડવાં ફળે કાળે કરીને પરિપકવ થતાં હોય છે. (૪૦૦). હે સ્વામિની, તું વિષાદ તજી દે; દેવતાની કપાથી, હે ભી, તારા તે ચિરપરિચિત પ્રિયતમની સાથે તારો સમાગમ થશે જ. (૪૦૧). એ પ્રમાણે અનેક મીઠાં વચનોથી આશ્વાસન આપી, મનાવીને તેણે મને સ્વસ્થ કરી તથા જળ લાવીને મારાં આંસુ પખાળ્યાં, (૪૦૨). તે પછી, હે ગૃહસ્વામિની, દાસીની સાથે તે કદલીમંડપમાંથી બહાર નીકળીને હું જ્યાં અમ્માની સમીપમાં અમારો પરિચારક વર્ગ વિહરી રહ્યો હતો, ત્યાં પહોંચી. (૪૦૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy