SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તાલાલા તેનું તપથી કુશ અને પાંડુર વદન તેના સભર લાવણ્યને લીધે, ધવલ અભ્રસંપુટમાંથી બહાર નીકળેલા પૂનમના ચંદ્રનો ઉપહાસ કરે છે. (૩૩). પાતળા, વળાંક વાળા, જોડાયેલા અને વળેલા, રૂપાળી બૂટવાળા, પૂરેપૂરા લક્ષણયુક્ત તેના કાન આભૂષણરહિત હોવા છતાં સંપન (?) છે. (૩૪). ઉત્તરીયમાંથી બહાર નીકળેલા તેને નિરાભરણ હાથ ફીણમાંથી બહાર નીકળેલ નાળવાળા, વાંકા વળેલા કમળનું વિડંબન કરી રહ્યો છે.” (૩૫). ગૃહસ્વામિનીને વિસ્મયભાવ વિસ્મિત થયેલી તે સ્ત્રીઓના શ્રમણીની રૂપપ્રશંસાના ઉદ્ગારાથી તે ગૃહની મર્યાદાળ સમી ગૃહિણી તે વેળા બહાર આવી. (૩૬). તેનો સ્વર ગંભીર અને મીઠો હતો...૨ પ્રશસ્ત...(૨); તેણે થોડાંક પણ મૂલ્યવાન આભરણ પહેર્યા હતાં અને તે દુકૂલન ઉત્તરાસંગ કરેલ હતો. (૩૭). અભિજાત સૌદર્યવાળી તે આર્યાને ચેલીઓની સાથે પોતાના ઘરના આંગણાને ઘડીક સેહામ કરતી નિહાળીને તે પ્રસન્ન થઈ. (૩૮). નિર્મળ ચીવર ધારણ કરેલી તે આર્યા, જાણે કે તે મંથન કરેલાં સિંધુમાંથી બહાર આવેલી અને તેથી ફીણથી આવૃત એવી લક્ષ્મી હોય તેમ તેણે વિસ્મિત ચિત્ત વંદના કરી. (૩૯). એલીઓને પણ વિનયપૂર્વક પ્રણામ કરીને ગૃહિણી તે આર્યાનું ચંદ્રમાની કાંતિ ધરતું મુખ આશ્ચર્ય. ચકિત નેત્રે એક ક્ષણ જોઈ રહી; કાળી કીકીવાળી આ બાને લીધે, તે મુખ, પૂર્ણ વિકસિત અને વચ્ચે રહેલા ભ્રમરયુગલવાળા કમળ સમું શોભતું હતું. (૪૦-૪૧). કોમળ હાથ અને ચરણવાળી, લક્ષ્મી સમી તે આર્યાને એકાએક જોઈને તે ગૃહિણી આમ વિચારવા લાગી (૪૨) : મેં આના જેવી સુંદરીને સ્વપ્નમાં કે શિલ્પમાં કે ચિત્રમાં કે કથાઓમાં નથી જોઈ કે નથી કદી સાંભળી, (૪૩). લાવણ્યથી ઘડેલી આ તે કઈ સૌભાગ્યમંજરી હશે ! અથવા તો પણથી યુક્ત એવી ચંદ્રની જયેના જ અહીં પધારી છે ! (૪૪). શુ પ્રજાપતિએ બધી હત્તમ તરુણીઓના રૂપ અને ગુણનો સારભાગ લઈને પોતાની પૂરી કળાથી આ સુંદરીનું નિર્માણ કર્યું હશે ? જો મુંડિત અવસ્થામાં પણ તેનું આવું લાવણ્ય હોય, તે અહો ! ગાહભાવમાં તો તેની રૂપશ્રી કેવી હશે ! (૪૬). તેનાં આભૂષણ વિનાનાં અને મળથી મલિન અંગે પર પણ ત્યાં મારી દષ્ટિ કરી છે ત્યાંથી તે ખસી જ શકતી નથી ! (૪૭). પ્રત્યેક અંગમાં, આ અતિશય રૂપાળું છે' એવા ભાવથી ચાંટી રહેતી, જેવાની લાલસાવાળી મારી અનિમિષ દષ્ટિ મેં ય ય પણ સ્થિર ન કરી. (૪૮). આર્યાના અસામાન્ય કાંતિવાળા અને મનને પ્રસન્નતાથી ભરી દેતા રૂપને તો અપ્સરાઓને પણ મરથ થાય ! (૪૯). મને લાગે છે કે દાનના ગુણથી આકર્ષાઈને સાક્ષાત્ ભગવતી લક્ષ્મી જ કમળવન તજી, સાધ્વીનો વેશ ધરીને મારે ઘરે પધારી છે. (૫૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy