SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ૨૦૬ સ સ્વજનોએ લીધેલી વિદાય છીએ પણ કહ્યું, “જેઓ સાચા ધર્મની અને તપશ્ચર્યાનો અંગીકાર કરે છે, અનેક દુ:ખોથી ભરેલા કુટુંબને ત્યજી દઈને નીકળી પડે છે, પ્રેમની બેડીઓમાંથી છૂટી જાય છે, રાગદ્વેષનું શમન કરી સુખદુ:ખ પ્રત્યે સમભાવ કેળવીને ક્ષમાવાન મુનિ બને છે, પત્નીરૂપી કારાવાસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, માન અને ક્રોધનો ત્યાગ કરીને જિને ઉપદેશેલા ધમને આચરે છે, તેમને ધન્ય છે. (૧૬૦૦-૧૬૦૨). યથેચ્છ વિષયસુખ ભોગવવામાં અમારું ચિત્ત રાચતું હોઈને, મોહની બેડીઓમાં જકડાયેલા એવા અમે તો સંસારત્યાગ કરીને નીકળી જવાને અશક્ત છીએ.” (૧૬ ૦૩). ધર્મનું સાચું સ્વરૂપ જેને બરાબર વિદિત હતું તેવા શ્રેષ્ઠીએ તે વેળા તપ અને નિયમની વૃત્તિને તીવ્ર કરનારાં આવાં આવાં અનેક વચનો કહ્યાં. (૧૬૦૪). મારા સસરાની અને પિયરની સંબંધી સ્ત્રીઓ, જાણે કે અમે એક દેહ ત્યજીને બીજો દેહ ધારણ કરી રહ્યાં હોઈએ તેમ, શેકગ્રસ્ત હૃદયે રુદન કરવા લાગી. (૧૬ ૦૫). દુ:ખી થઈને અત્યંત કરુણ વિલાપ કરતાં રડી રહેલી એવી તે સ્ત્રીઓની (અથુવર્ષાથી) તે ઉપવનની ભેંય જાણે કે છંટાઈ ગઈ. (૧૬ ૦૬). તે પછી શ્રેણી અને સાર્થવાહ સ્ત્રીઓ, મિત્રો, બાંધવા અને બાળબચ્ચાંને સાથે લઈને રડતાં રડતાં નગરીમાં પાછાં ફર્યા. ( ૧૬ ૦૭ ). લોકોના કોલાહલ વચ્ચે, કુતૂહલથી જેનારાઓની ભીડમાં ઘેરાયેલા તે શ્રમણનાં દર્શન શ્રેણીની દષ્ટિ અમારી ઉપર મંડાયેલી હેઈને તેણે વિષાદપૂર્ણ ચિત્ત કર્યા હતાં (2) (૧૬૦૮). બીજા બધા સંબંધીઓ (?) પણ, અમે કરેલા છતી સમૃદ્ધિના ત્યાગથી વિસ્મિત થઈને, ધર્મ પ્રત્યેના અનુરાગથી રંગાઈને, જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. (૧૬ ૦૯). સુકતા ગણિનીનુ આગમનઃ તરંગવતીની રોપણી એ વેળા શ્રમણલક્ષ્મીથી યુક્ત, મૂર્તિમાન ક્ષમા સમી, એક ગુણવાન ગણિની તે શ્રમણને વંદવા આવી. (૧૬૧૦). તપ, નિયમ અને જ્ઞાનથી પરિપૂર્ણ તે ગણિની આર્યા ચંદનાની શિષ્યા હતી. તેણે તે સુવિહિત શ્રમણ અને તેના પરિવારને વંદન કર્યા.(૧૬૧૧). શાસ્ત્રવિધિ જાણનાર તે શ્રેમણે તે ગણિનીને કહ્યું, “હે પાપશમની શ્રમણ ! આ તારી શિષ્યા થાઓ.” (૧૬૧૨). એટલે તેણે માર્દવ ગુણના આચારણરૂપ, શ્રમણપણના ઉપકારરૂપ વિનયાચાર કરીને પોતાની સંમતિ દર્શાવી. (૧૬૧૩). પછી શ્રમણે મને કહ્યું, પાંચ મહાવ્રત ધારણ કરવાના દઢ વ્રતવાળી આ સુત્રતા ગણિની તારી પ્રવર્તિની આર્યા છે, તો તેને વંદન કર.” (૧૬૧૪). એટલે મસ્તક પર હાથ જોડી, વિનયથી મસ્તક નમાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy