________________
તરંગલીલા
સમી ઉખ, વારાણસી નામની નગરી હતી. (૧૪૨૧) ત્યાંના માની તેમ જ વિનયી વેપારીઓ માને પ્રત્યેક એક કરોડ ! માલની લેવેચ કરી શકે તેટલે સમર્થ હતો. (૧૪૪૨). ત્યાંનાં રાજમાર્ગો પરનાં ભવને એટલાં ઉજંગ હતાં કે સૂર્ય જ્યારે આકાશતલમાં વચ્ચે વચ્ચે રહેલાં બાકોરાંમાં પ્રવેશતો ત્યારે જ તે ભૂમિનું દર્શન કરી શકતો. (૧૪૨૩). ત્યાં હું સુયશ એ નામે જન્મે. ક્રમે ક્રમે હું લેખન વગેરે વિવિધ કળાઓ શીખે. (૧૪૨૪). ઘૂતનું વ્યસન
અપકીર્તિના કારણ, લોકોના વ્યસનરૂપ, સર્વ દોષ સાથે સંકળાયેલા એવા તને હું વ્યસની હતો. (૧૪ર ૫). કપટી, ઉગ્ર, અસાધુ, લાભના લેબી, સર્વ સગુણોથી વંચિત એવા લેકે આ વિનાશકારી વ્યસન સેવે છે. (૧૪૫૬).
મૃગતૃષ્ણા સમા એ ઘતના વ્યસને ઘેરાયેલો હું કુળ પરંપરાની ઉકા સમી ચેરી પણ કરવા લાગ્યો. (૧૪૨૭), ખાતર પાડીને ઘરફોડ ચોરી કરવી, પ્રવાસીઓને વધ કરીને તેમને લૂંટી લેવા વગેરે અપરાધને કારણે સ્વજનોને હું તિરસ્કારપાત્ર બને. (૧૪૨૮) ઘતને વ્યસની હેવાથી પારકું ધન હરી લેવાની વૃત્તિ પણ ઉદ્ભવી. લોમરૂપી ભૂતના આવાસ સમો હું રાત આખી. હાથમાં તલવાર લઈને રખડવા લાગ્યો. (૧૪૨૯). નગરીને ત્યાગઃ એરપહલીને આશ્રય
આખી નગરીમાં મારા અપરાધોથી સૌ જાણીતા થઈ ગયા. આથી આત્મરક્ષણ મુશ્કેલ બનતાં વિંધ્ય પર્વતની આડશમાં આવેલી ખારિકા નામની અટવીનો મેં આશ્રય લીધે. (૧૪૩૦). તે સેંકડે. પક્ષી ગણના શરણુ રૂપ, પશુઓ, પક્ષીઓ અને ચોરોના સમૂહના વીરસ્થાન સમી, અને અનેક પ્રકારનાં વૃક્ષસમૂહના ગીપણાને લીધે ગાઢ અંધકારવાળી હતી. (૧૪૩૧). ત્યાં વિંધ્યની પહાડીથી ઢંકાયેલી, એક જ વિકટ પ્રવેશદ્વાર વાળી સિંહગુહા નામની મોટી પેલીમાં મેં વસવાટ કર્યો. (૧૪૩૨). વેપારીઓ અને સાર્થને લૂંટનારા, પરધનને હરનારા અને અનેક દુષ્કર્મ કરનારા પરાક્રમી ચેનો ત્યાં અને હતો. (૧૪૩૩). તેઓ અનેક પ્રકારે લોકોને ઠગતા, ધન પડાવી લેવાના અનેક ઉપાયો અને રાતના જાણકાર હતા અને તદ્દન ધામ તથા અનુકંપા વિનાના હતા (૧૪૩૪). તેમાં કેટલાક શૂરવીરો એવા હતા જે બ્રાહ્મણો. શ્રમણો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ અને દુર્બળ લોકોને ન વતાવતા, પણ વીર પુરુષ સાથે જ બાથ ભીડતા. (૧૪૩૫). સેંકડો લડાઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org