SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ તરગાલા ધર પણ તું મારાં આ વચને તેને કહેજે ! તેને તે તારા અનુમરણથી ખરીદી લીધેલ હેઈને તે સાચે જ તારાં ચરણે પાસે દાસ બનીને વાસ કરશે (૭૪૨); તારો ચિત્રપદ જોઈને તેને પૂર્વજન્મના સંમાનનું મરણ થયું છે; તેનાં પુણ્ય ઓછાં પડ્યાં, જેથી કરીને તેને તારી પ્રાપ્તિ નથી થઈ. આથી તેનું ચિત્ત વિષણું બન્યું છે. (૭૪૩). તારી વાત સાંભળતાં સાંભળતાં, નિરંતર સ્નેહવૃત્તિવાળો તે પ્રીતિના રોમાંચે કબપુષ્પની જેમ કંટકિત થઈ ઊયે.” (૭૪૪). ચેતીનું પ્રત્યાગમન એ પ્રમાણે તારી સાથેના સુરતના મનોરથની વાતોથી મને ક્યાંય સુધી રોકી રાખીને, કામબાણથી જર્જરિત શરીરવાળા તેણે અનિચ્છાએ મને વિદાય કરી. (૭૪૫). વિદાય લઈને હું તે અનુપમ પ્રાસાદમાંથી નીસરીને, સ્વર્ગમાંથી અંશ પામી હોઉં તેમ, જે માગે ગઈ હતી તે માર્ગે થઈને અહીં પાછી આવી. (૭૪૬). તેના ભવનની જેવાં સમૃદ્ધિ, વિલાસ અને વિશાળતા, શ્રેષ્ઠીના ભવનને બાદ કરતાં, બીજા કોઈનાં પણ નહીં હોય. (૭૪૭). અત્યારે પણું હું તેના ભવનની સમૃદ્ધિ, વિલાસ ને પરિજનોની વિશેષતા તેમ જ તેનું અનન્ય, અપ્રતિમ રૂપે જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહી છું. (૭૪૮). અને સ્વામિની, તેણે સમસ્ત ગુણયુક્ત, પ્રેમગુણને પ્રવર્તક, હસીખુશીનું પાત્ર એ આ પ્રત્યુત્તર-પત્ર તારે માટે આપે છે. (૭૪૯). એટલે, હે ગૃહસ્વામિની, મુદ્રાથી અંકિત કરેલા, મારા પ્રિયતમના દર્શન સમા, તે પત્રને મેં લીધે અને નિઃશ્વાસ સાથે હું તેને ભેટી. (૭૫૦). તેને ભેટીને, ચેટીની પાસેથી સાંભળેલા વચનોથી ઉફુલ્લ ચંપકલતાની જેમ હાસ્યપુલકિત બનીને મેં પત્રગત અર્થને પામવાની આતુરતાથી તેની મુદ્રા તોડીને, સત્વર, પ્રિયતમનાં વચનના નિધાન સમે તે ઉખેળ્યો. (૭૫૧-૭૫૨). તેમાં તેનું તે જ આખું પ્રકરણ, એક માત્ર મારા મરણને બાદ કરતાં, જેવું મેં અનુભવ્યું હતું તેવું જ લખાણમાં અક્ષરબદ્ધ કરેલું હતું. (૭૫૩). જે કાંઈ મે અનુભવ્યું હતું, અને જે કાંઈ તેણે કર્યું હતું તે બધું જ તેમાં વ્યક્ત કરેલું હતું. તેનું મૃત્યુ પહેલાં થયું હોઈને મારું અનુસરણ તેણે ન જાવું એ પણ બરાબર હતું. (૭૫૪). ભૂર્જપત્રમાં લખેલે, પ્રિયતમ પાસેથી આવે તે લેખ ભગ્નહદયે હું વાંચવા લાગી. (૭૫૫). જ્યારે જ્યારે અમારી જે જે અવસ્થા હતી તે તે બરાબર બન્યા પ્રમાણે, એંધાણીઓ સાથે, પ્રિયતમે શબ્દોમાં વર્ણવી હતી. (૭૫૬). શબ્દરૂપે રહેલા તે મન્મથને, કામદેવના બંધને બદ્ધ વચનેવાળા આ અર્થ દ્વારા હું નિહાળી રહી (૫૭) : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy