SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થો વાક્યાયં બુદ્ધિના જનક છે એ મીમાંસક મત કહેવામાં આવે છે તે પણ અયોગ્ય છે. પ્રત્યેક પદાર્થને વાક્ષાર્થને ગમ, અમે ઇ . નથી જ, અને સમુદિત (=સંસૃષ્ટ) પદાર્થો અસાધારણ હોવા છતાં અમારા પક્ષને હાનિકર નથી. જેમ લિંગ વ્યાપ્તિસંબંધગ્રહણની અપેક્ષા રાખીને સાધ્યનું જ્ઞાન કરાવે છે તેમ સંબંધગ્રહણની અપેક્ષા રાખીને વાકષાર્થનું જ્ઞાન કરાવતા નથી, કે જેથી અસાધારણ હોવાને કારણે પદાર્થો વાક્યાથનું જ્ઞાન કરાવી ન શકે. પદાર્થો તે સંબંધગ્રહણ વિના પણ આકાંક્ષા, યેગ્યતા, સનિધિ અને તાત્પર્યપર્યાલોચના દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ સંસૃષ્ટ પદાર્થો જ વાક્યાથ છે, અથવા તે ઇતરપદાર્થોથી વિશિષ્ટ ઇતરપદાર્થ વાક્ષાર્થ છે. 106. નાથરામર્શ્વ વાર્થવૃતી તેરાશકુનીયમ્, રાઠાવતિમૂન તથા: શબ્દસ્વાત | શબ્દાત પાર્થવૃતિપત્તી વાર્થપ્રતિપત્તિપિતિ પર્યમનવયમ્ | तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि । अथेदानीमवगताः પાથ વ વાવયાર્થમવમિત્તિ' રૂતિ [૪૦ મા .૨.૨૬] 106. આ રીતે ( અર્થાત્ પદાર્થોમાંથી વાક્યર્થજ્ઞાન માનતાં) તે વાકયાર્થજ્ઞાન અશાબ્દ બની જશે એવી આશંકા ન કરવી જોઈએ, કારણ કે શબ્દજ્ઞાન ( =પદજ્ઞાન) મૂલક વાકયાર્થજ્ઞાન હોઈ વાકયાર્થજ્ઞાન શાબ્દ જ છે. શબ્દથી પદાર્થનું જ્ઞાન થાય છે અને પદાર્થનું જ્ઞાન થતાં વાજ્યાર્થિનું જ્ઞાન થાય છે એમ સઘળું દોષરહિત છે. તેથી કહેવામાં આવ્યું છે કે, “પદે પિતતાને અર્થ જણાવા વ્યાપાર કરતાં વિરમે છે. ત્યાર પછી હવે જ્ઞાત થયેલા પદાર્થો જ વાક્ષાર્થને જણાવે છે.શિાબરભા૦ ૧.૧.૨૫] 107. ત્રામિથી “ર grખ્યો વાવવાથવતિ તુ ક્યારેય, તથા च 'अयं वाक्यार्थः' इति प्रसिद्धिः, न 'पदार्थार्थः' इति । यथा हि काल्पनिकवर्णसमूहात्मकं पदं पदार्थप्रतिपत्तिमादधाति, तथा काल्पनिकपदसमूहात्मकं वाक्यं वाक्यार्थप्रतिपत्तिमाधास्यति ।" 107, મૈયાયિક–અહી અમે કહીએ છીએ કે પર્દાર્થોથી વાક્યર્થનું જ્ઞાન થતું નથી પરંતુ વાક્યથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે, અને એટલે જ તો “આ વાક્યર્થ છે” એમ લકે કહે છે, “આ પદાથર્થ છે' એમ લેકે કહેતા નથી. જેમ વણેના કાલ્પનિક સમૂહરૂપ પદ પદાર્થની પ્રતીતિ કરાવે છે તેમ પદના કાલ્પનિક સમૂહપ વાક્ય વાક્યાથની પ્રતીતિ કરાવે છે. 108. ननु पदसमूहात्मकं वाक्यमन्यन्नास्ति, किन्तु पदान्येव वाक्यम् । पदानां च स्वार्थे चरितार्थत्वान्न वाक्यार्थसामर्थ्यमित्युक्तम् । 108. મીમાંસક–નૈયાયિક મતમાં તો પદસમૂહાત્મક વાકય એ પદથી જુદું નથી પરંતુ પદે જ વાય છે. અને પદેનું સામર્થ્ય પોતાના અર્થને જણાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેથી પદેનું સામર્થ્ય વાક્યાથને જણાવવા માટે રહેતું જ નથી. એટલે પદાર્થો વાયાર્થીને જણાવે છે એમ માનવું જોઈએ.] આ પ્રમાણે અમે મીમાંસકોએ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy