SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય સાવયવ છે नूनं कचिद्वाक्ये सत्त्वमवयवानामेषितव्यम् । नरसिंहेऽपि नरावयवाः सिंहावयवाश्च पृथक् पृथक् प्रत्यभिज्ञायन्ते । चित्रेऽपि हरितालसिन्दूरादिरूपं, पानके त्वगेलादिरसो, ग्रामरागेऽपि षङ्जर्षभगान्धारादिखरजातं पृथगवगतमिति न ते निर्भागदृष्टान्ताः । 79. સ્ફોટવાદી – વાકથના અવયવોની પ્રતીતિ થાય છે, પરંતુ એ પ્રતીતિ બ્રાન્ત છે. નૈયાયિક – ના, એ પ્રતીતિ બ્રાન્ત નથી, કારણ કે તે પ્રતીતિનું બાધક કેઈ પ્રમાણ નથી. વળી, બ્રાન્તિનું કંઈ પણ કારણ તમારે જણાવવું જોઈએ. ફેટવાદી – તે કારણુ સદશ્ય છે. નૈયાયિક – કોને કોની સાથે સાદશ્ય એ અમે જાણતા નથી. જે કોઈ વાક્યમાં મુખ્ય =અનુપચરિત, સાચા) અવયવ પ્રસિદ્ધ હોય તે તેની (તેવા વાકથની) સાથેના સાદશ્યને કારણે બીજા વાક્યોમાં તે ન હોવા છતાં તેમના હોવાને ભ્રમ થાય, પરંતુ એવું તો નથી, કારણ કે તમારે મને તે સર્વ વાકયો નિરવયવ છે. અને જે તે જ પ્રમાણે અહીં પણ સ્વીકારીએ તે ખરેખર કોઈક વાકયમાં તે અવયવોને મુખ્ય (=અનુપચરિત સાચા માનવા જોઈએ. નરસિંહમાં પણ નરના અવય અને સિંહના અવયવો પૃથક પૃથફ ઓળખાય છે ચિત્રમાં પણ હળદર, સિંદિર વગેરે રંગે, પાનકમાં (પીણામાં) પણ તજ, ઈલાય રસે, ગ્રામરાગમાં પણ વજ, ઋષભ, ગાંધાર વગેરે સ્વરો પૃથક્ પૃથક્ જ્ઞાત થાય છે જ, તેથી ચિત્ર વગેરે નિરવયવ વસ્તુનાં ઉદાહરણ નથી. ....80. चित्रादिबुद्धयस्तर्हि दृष्टान्ता इति चेत्, बाढं वाक्यार्थबुद्धिरपि निर्भागेष्यते एवास्माभिः, बुद्धीनां निरंशत्वेन सर्वासामनवयवत्वात् । बुद्धिविषयीकृतस्त्वर्थो दृष्टान्तदाटीन्तिकयोः सावयव एव । तस्मान्न निर्भागौ वाक्यवाक्यार्थाविति युक्तम् । - 80. ફેટવાદી – ચિત્ર વગેરેનાં જ્ઞાને નિરવયવ વસ્તુનાં ઉદાહરણો છે, નૈયાયિક–બરાબર છે વાગ્યાથજ્ઞાનને અમે પણ નિરવયવ ઈચ્છીએ છીએ જ, કારણ કે બધાં જ્ઞાને નિરાશ હોઈ નિરવયવ છે દૃષ્ટાંત અને રાષ્ટ્રતિક બન્નેમાં જ્ઞાનને જે વિષય છે તે અથ તો સાવયવ જ છે. તેથી, વાક્ય અને વાક્યાથ નિરવયવ નથી એમ માનવું યોગ્ય છે. 81. यदप्यभ्यघायि 'वृद्धव्यवहारेण सम्बन्धबुद्धिर्वाक्यवाक्यार्थयोरेव, न पदतदर्थयोः, पदेन व्यवहाराभावात्' इति, तदप्यसाधु, वाक्यादपि व्युत्पत्तिर्भवन्ती पदार्थपर्यन्ता भवतीति । एवं हि पदतदर्थसंस्कृतमतेरभिनवविरचितादपि वाक्याद् वाक्यार्थप्रतीतिरुपपत्स्यते । तदावापोद्वापपरतन्त्रवैचित्र्येण वाक्यानामानन्त्यादशक्या प्रतिवाक्यं व्युत्पत्तिः, सापि नापेक्षिष्यते । इतरथा हि साऽवश्यमपेक्ष्येत । 81. વળી, તમે જે કહ્યું કે વડીલોના વ્યવહાર ઉપરથી વાક્ય અને વાક્યર્થ વચ્ચેના જ સંબંધન જ્ઞાન થાય છે, પદ અને પદાથ' વચ્ચેના સંબંધનું જ્ઞાન થતું નથી કારણ કે પદ વડે વ્યવહાર થતો નથી તે પણ અયોગ્ય છે, કારણ કે વાવમાંથી થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy