SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ફેટ શ્રોત્રગાથ નથી सकलपिण्डसाधारणं रूपं विषयीकरोतीति गोत्वसामान्यं तदिष्यते । एवं यदि प्रतिवर्ण 'पदं पदम्' इति 'वाक्यं वाक्यम्' इति मतिरुपजायेत जातिवत् तर्हि पदं वाक्य च सर्यवर्णवृत्ति किमपि रूपमभ्युपगच्छेम, न त्वेवमस्ति प्रतीतिः । यथा च तन्त्वाद्यवयवपरिघट्टितपटादिकार्यविषयमाद्यनयनसन्निपातसमये एव भेदग्रहरहितमवयविज्ञानमुदेति तथा क्रमसमुच्चरदेकैकवर्णवरूपोपग्रहनिरपेक्षं यदि पदमिति वाक्यमिति ज्ञानं भवेत् तत्पटादिकमवयविनमिव पदं वाक्यमेकैकरूपमनुमन्येमहि । न त्वेवमस्ति । न हि तन्तुभिरिव पटो, वर्णैः पदमारभ्यते । - 71. ફેટવાદી – શા માટે તમે ફેટને શ્રેત્રગ્રાહ્ય નથી સ્વીકારતા ? [સ્વીકારવો જોઈએ], કારણ કે “પદ' “વાક્ય' એવું શ્રેત્રરૂપ કરણથી ઉત્પન્ન થતું એકાકાર જ્ઞાન દરેકને અનુભવાય છે જ, અને વર્ષો આ જ્ઞાન ના વિષયે બની શકે નહિ એમ અમે કહ્યું છે. યાયિક – આમ કહેવું એગ્ય નથી. અહી શાબલેય વગેરે પ્રત્યેક ગોવ્યક્તિને વિશે ગો” “ગી' એવું ઉત્પન્ન થતું જ્ઞાન બધી ગોવ્યક્તિઓમાં રહેલ સાધારણ રૂપને વિષય કરે છે એટલે તે સાધારણ રૂપને સત્વસામાન્ય) અમે સ્વીકારીએ છીએ. તેવી જ રીતે પ્રત્યેક વર્ણવ્યકિતને વિશે “પદ પદ' એવું જ્ઞાન કે “વાક્ય” “વાક્ય” એવું જ્ઞાન જે ઉત્પન્ન થતું હેત તો જાતિની જે બધા વર્ષોમાં સમાનપણે રહેતા એવા કેઈક રૂપને – પદને કે વાક્યને–અમે સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી. વળી, જેમ તન્વરૂપ અવયથી બનેલા પટરૂપ કાયની સાથે આંખોને આદ્ય સાનકર્ષ થતાં જ ભેદગ્રહણુરહિત (અર્થાત્ તખ્તરૂપ અવયના જ્ઞાનરહિત), પટરૂપ કાર્ય વિષયક અવયવિજ્ઞાન થાય છે તેમ ક્રમશઃ ઉચ્ચારાતા એક એક વર્ણના સ્વરૂપના પ્રહણથી નિરપેક્ષ “પદ' “વાક્ય' એવું જ્ઞાન થતું હેત તો પટ વગેરે અવયવીની જેમ પદને કે વાક્યને એક એક રૂપવાળા સ્વીકારત, પરંતુ એવું જ્ઞાન થતું નથી. જેમ તંતુઓ વડે પટ ઉત્પન્ન થાય છે તેમ વર્ણો વડે પદ ઉત્પન્ન થતું નથી. 72. यत्त गौ!रित्येवं ज्ञानमभेदग्राहि दृश्यते तदेकाजुपाधेः । भिन्नाजुपश्लेषे तु देवदत्त इत्यादी नानाक्षरग्रहणमेव विलम्बितमनुभूयते । न चैवं पटादिबुद्धिषु तदवयवाः कदाचिद् विच्छेदेनावभासन्ते । तस्मान्नावयवीव जातिरिव वा पदं वाक्यमभिन्नमवभासते । 72. ગૌ' શબ્દનું ગૌ' એવું શ્રૌત્ર જ્ઞાન અભેગાહી અનુભવાય છે કારણ કે તેમાં એક સ્વરરૂપ એક ઉપાધિ છે. પરંતુ જ્યારે અનેક સ્વરે શબ્દમાં હોય છે, જેમકે દેવદત્ત વગેરે શબ્દોમાં, ત્યારે અનેક અક્ષરનું ગ્રહણ જ ધીમે ધીમે થતું અનુભવાય છે. અહીં જેમ અવયવો જતા અનુભવાય છે તેમ પટ વગેરે અવયવીઓના જ્ઞાનમાં તેમના અવયવો Mી જુદા અનુભવાતા નથી. તેથી અવયવીની કે જાતિની જેમ ૫૬ કે વાકય અભિન્ન (એ, અખંડ) અનુભવાતા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy