SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ २२ કમભાવી વર્ગોનું સંકલનાજ્ઞાન સંભવે છે पदानां तु वाक्यार्थप्रतिपत्तिलक्षणप्रधानकार्यावयवभूतपदार्थज्ञानाख्यकार्यनिर्वर्तकत्वमतिस्पष्टमस्त्येवेति न तेष्वेष दोषः प्रादुष्यात् । वर्णानामपि गमनक्रियाक्षणानामिव ग्रामप्राप्तौ, ग्रासानामिव तृप्ती, संस्थानामिवामुखीकरणे यद्यपि क्रमोपचीयमानतत्कार्यमात्रासमुन्मेषो नास्ति तथापि तदौपयिकस्योपलब्धिसंस्कारादिकार्यस्य करणात् तत्कार्यावयवी तावत् कृतो भवतीति न समस्तानां क्रमकारित्वमपहीयते । तत्र पर्वे वर्णा अतीता अप्युपकरिष्यन्ति, चरमवर्णस्तु वर्तमान इतीदृश एवायं काल्पनिकः क्रियाक्षणसमूह इव वर्णसमूहोऽर्थप्रत्यायकः । 38. સ્ફોટવાદી–અર્થજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના તે બે (= સ્વરૂપગ્રહણ અને સંસ્કાર ) અવય નથી, નૈયાયિક– ભલે અવયવ ન છે, તેમની તેમાં ઉપયોગિતા તો છે જ. અવયવઅવયવીને વ્યવહાર તે અવાતરપૂર્વ અને પરમાપૂર્વ વચ્ચે પણ ઘટવો મુશ્કેલ છે. વાક્યાથજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના અવયવભૂત પદાથજ્ઞાન નામના કાર્યોને પદો ઉત્પન્ન કરે છે એ અત્યંત સ્પષ્ટ છે, એટલે એમને આ દોષ દૂષિત કરતું નથી. ગમનક્રિય ક્ષણો દ્વારા રામપ્રાપ્તિમાં, કેળિયાઓ દ્વ: રા તૃતિમાં, પુનઃ પુનઃ ઉચ્ચારણ દ્વારા એક અનુવાકને મોઢે કરવામાં જેમ ક્રમથી ધીરે-ધીરે ઉપચય પામતા કાયનો સમુન્મ થાય છે તેમ વર્ષો દ્વારા પદાર્થજ્ઞાનોત્પત્તિમાં ક્રમથી ઉપચય પામતા કાર્યને સમુન્મ થતો નથી; તેમ છતાં પદાર્થ જ્ઞાનના ઉપાયભૂત, વર્ણોનાં શ્રૌત્ર પ્રત્યક્ષ અને વર્ણોના સંસ્કારરૂપ કાર્યોને વણે ઉત્પન્ન કરતા હોઈ તે પદાર્થ જ્ઞાનરૂપ કાર્યાલયવીને પણ તેઓ ઉત્પન્ન કરી દે છે, એટલે સમસ્તનું ક્રથી કાય કરવાપણું હાનિ પામતું નથી. ત્યાં અર્થ જ્ઞાનરૂપ કાર્યોત્પત્તિમાં અન્તિમ વર્ણ પૂર્વેના વર્ષો નાશ પામી ગયા હોવા છતાં ઉપકાર કરે છે, અન્તિમ વર્ણ તો વર્તમાન હોય છે, તેથી કાલ્પનિક ક્રિયાક્ષણસમૂહ જે આ વર્ણસમૂહ અર્થનું જ્ઞાન કરાવે છે. 39. अथ वा क्रमोपलब्धेष्वपि वर्णेषु मानसमनुव्यवसायरूपमखिलवर्णविषयं सङ्कलनाज्ञानं यदुपजायते, तदर्थप्रत्यायनाङ्गं भविष्यति । दृश्यते च विनश्वरेष्वपि पदार्थान्तरेषु क्रमानुभूतेषु युगपदनुव्यवसायो मानसः ‘शतमाम्राणि भक्षितवान् देवदत्तः' इति । न चायं प्रत्ययो नास्ति, सन्दिग्धः, बाध्यते वा । अनभ्युपगम्यमाने चेदृशि समुच्चयज्ञाने तन्निबन्धना भूयांसो व्यवहारा उत्सीदेयुः । 39. અથવા, ક્રમથી પ્રત્યક્ષ થનારા વર્ષો બાબતમાં, તે બધા વર્ગોને વિષય કરનારું જે માનસ અનુવ્યવસાયરૂપ સંકલન જ્ઞાન થાય છે તે અર્થ જ્ઞાન કરાવવામાં કારણભૂત બનશે. વિનશ્વર, કમથી અનુભૂત બીજા પદાર્થોની બાબતમાં, તે બધા પદાર્થોને યુગપત વિષય કરનાર માનસ અનુવ્યવસાય છે, જેમ કે “દેવદત્ત સે કેરી ખાધી', એ જ્ઞાન નથી એમ નહિ. વળી તે સંદિગ્ધ પણ નથી કે બીજ પ્રમાણજ્ઞાનથી બાધિત પણ થતું નથી. જે આવા સમુચ્ચયજ્ઞાનને સ્વીકાર ન કરવામાં આવે તે ઘણા બધા વ્યવહારો ઉછેદ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy